એક મહિના પહેલા શરૂ થયેલી મેટ્રોને લોકોએ સ્વીકારી, મેટ્રોમાં જોવા મળ્યો પેસેન્જરોનો ઘસારો


  • Published By :
  • Published Date : 2022-10-25 12:49:02

દિવાળીના દિવસો દરમિયાન લોકો ફરવા માટે જતા હોય છે. ત્યારે અમદાવાદના લોકો મેટ્રોમાં પ્રવાસ કરી દિવાળીમાં ફરી રહ્યા છે. મેટ્રો ટ્રેનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તહેવારો દરમિયાન મેટ્રોમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. વસ્ત્રાલ ગામથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધીના રૂટમાં વધુ પેસેન્જરો મુસાફરી કરી રહ્યા છે. વધતા મુસાફરોને કારણે ટ્રેનની ફ્રિકવન્સીને વધારી દેવામાં આવી હતી. 30ના બદલે 15 મીનિટમાં ટ્રેનને દોડાવાઈ હતી. 

Ahmedabad to get gift of Metro on Navratri

અમદાવાદીઓનો મળી રહ્યો છે સહયોગ

અમદાવાદીઓ એમ પણ ફરવાના શોખીન હોય છે. અનેક લોકો મેટ્રોમાં સફર કેવી હોય છે તે માટે પણ મેટ્રોમાં મુસાફરી કરતા હોય છે. એક મહિના પહેલા શરૂ થયેલી મેટ્રોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મેટ્રોના બંને રૂટ એટલે કે વસ્ત્રાલ ગામથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી બંને કોરિડોર પર અમદાવાદીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ તો દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે જેને કારણે લોકોનો ઘસારો વધી ગયો છે પરંતુ શનિવાર તેમજ રવિવારના દિવસે પણ લોકો મેટ્રોની મોજ લેવા માટે આવતા હોય છે. લોકોનો ઘસારો વધતા મેટ્રોએ કેટલાક દિવસોમાં દર 30 મીનિટને બદલે 15 મીનિટે પણ દોડાવી હતી.   

એક મહિનામાં એક કરોડની મેટ્રોને થઈ આવક 

છેલ્લા એક મહિનાથી મેટ્રો અમદાવાદમાં દોડી રહી છે. લોકો પણ મેટ્રોમાં મુસાફરી કરવા તલપાપડ થઈ રહ્યા છે. મળતા આંકડા મુજબ મેટ્રોની આવક એક કરોડને વટાવી ચૂકી છે. નવા કોરિડોર તૈયાર કરાય તો લોકોને પણ સગવડ રહે અને મેટ્રોની આવકમાં પણ વધારો થાય.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.