પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આ નિયમોનું રાખજો ધ્યાન, કોરોના સંક્રમણ વધતા નિયમો કરાયા જાહેર


  • Published By :
  • Published Date : 2022-12-24 09:10:07

વિશ્વમાં તેમજ દેશમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે, વધી રહેલા કોરોના કેસને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોના સંક્રમણને લઈ ગુજરાત સરકાર દ્વારા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. લાખો ભક્તો આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ મહોત્સવમાં આવતા ભક્તો માટે ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 


કોરોના વધતા બહાર પડાયા નિયમો  

અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ મહોત્સવમાં સામેલ થવા દુનિયાભરથી ભાવિકો આવી રહ્યા છે. ઉપરાંત દેશના અનેક રાજ્યોથી પણ ભક્તો આવી રહ્યા છે. જેને કારણે કારણે ચિંતામાં વધારો થયો છે. આ મહોત્સવમાં લાખો હરિભક્તો સેવા આપી રહ્યા છે. ત્યારે વધતા કોરોનાને લઈ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. જે મુજબ સ્વયંસેવકો માટે માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવશે. 


શું છે નિયમો? 

વધતા કોરોના સંક્રમણને જોતા મહોત્સવમાં સામેલ થતા ભક્તો તેમજ સ્વયંસેવકો માટે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત સ્વયંસેવકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. પ્રવેશ માટે પણ માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. વિદેશથી આવતા ભક્તોએ કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવામા આવ્યો છે. શરદી, તાવ જેવી તકલીફ ધરાવતા વ્યક્તિએ ભીડમાં આવવું ટાળવું. ઉપરાંત ઉંમર લાયક, નાદુરસ્ત તબિયત વાળા વ્યક્તિએ પણ મહોત્સવમાં ન આવવા વિનંતી કરી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. એકબીજાને હાથ મિલાવાનું પણ ટાળવું જોઈએ. સેનિટાઈઝરનો ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી છે.   

   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.