કાતિલ ઠંડી અને સુસવાટા મારતાના કારણે પવિત્ર યાત્રાધામો પાવાગઢ-ગિરનારની રોપ-વે સેવા બંધ


  • Published By :
  • Published Date : 2023-01-05 12:01:51

ગુજરાતના બે પવિત્ર તિર્થધામો પાવાગઢ અને ગિરનારમાં રોપ-વે સેવા બંધ છે. રોપ-વે સેવા બંધ હોવાનું કારણ કોઈ ટેકનિકલ ખરાબી નહીં પણ રાજ્યમાં પડી રહી કાતિલ ઠંડી અને સુસવાટા મારતા પવનોના કારણે શ્રધ્ધાળુંઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે તથા સતત વેગિલા પવનનોથી યાત્રિકોની સુરક્ષા માટે રોપ-વે સંચાલકોએ આ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે.


પાવાગઢ-જુનાગઢમાં કડકડતી ઠંડી


જૂનાગઢ શહેર ગીર જંગલથી ઘેરાયેલું હોવાથી સ્વાભાવિક રીતે જ રાજ્યના અન્ય ભાગોની તુલનામાં ત્યાં ઠંડીનું જોર વધું રહે છે. તો આવી જ પરિસ્થિતી પાવાગઢમાં પણ જોવા મળી રહી છે તેથી આ બંને યાત્રાધામોમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. જૂનાગઢ ગિરનાર અને પાવાગઢમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.  આ રોપ-વેમાં બેસવા માટે લાઈનમાં ઉભા નહીં રહેવા માટે રોપ વે સંચાલકોએ યાત્રિકોને જણાવ્યું છે. એકંદરે યાત્રિકોની સુરક્ષા અને ગઢ પર જવા માટે પાંખી હાજરીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


રાજ્યમાં ઠંડીથી જનજીવન ખોરવાયું


રાજ્યમાં નવા વર્ષના આગમન સાથે જ હાંડ થીજવતી ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. શહેર કરતા પણ ગામડામાં સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે જન જીવન પર ખતરનાક અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગે 10 દિવસની કાતિલ ઠંડીની આગાહી કરી છે, તેથી લોકોએ હજુ થોડા દિવસ સુધી ઠંડીમાં ઠુંઠવાવા માટે તૈયારી રાખવી પડશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.