પાટીદાર સમાજમાં યુવતીઓની ભારે અછત, આ પરિસ્થિતી માટે જવાબદાર કોણ?


  • Published By :
  • Published Date : 2023-04-16 14:39:36

ઉત્તર ગુજરાતના પાટીદારો વગદાર સમાજ ગણાય છે, પાટીદાર સમાજ સામાજિક, રાજકીય અને આર્થિક રીતે સધ્ધર છે. જો કે ઉત્તર ગુજરાતના મહેસાણા, વીસનગર, પાટણ, ઊંઝા સહિતના શહેરો અને તેની આસપાસના ગામોમાં સાધન સંપન્ન પાટીદાર પરિવારોના યુવકોને પણ તેના સમાજની પાટીદાર યુવતીઓ મેળવવાના ફાંફા પડી રહ્યા છે. આ જ કારણે પાટીદારોને બહારના રાજ્યોમાંથી કન્યાઓ લાવવી પડે છે. બૂંદેલખંડ,ઝારખંડ, મધ્ય પ્રદેશના ચિત્રકૂટ વિસ્તારની યુવતીઓ સાથે પાટીદાર યુવકોના લગ્નનું પ્રમાણ વધ્યું છે. આ માટે મહેસાણાના વિસનગર ખાતે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું.


વિસનગરમાં યોજાયો સીતા સ્વયંવર


પાટીદાર કુર્મી મહાસભા દ્વારા મહેસાણાના વિસનગર ખાતે સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, 4500 યુવાનો પૈકી 450 યુવાનોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં માત્ર 150 યુવતીઓને જ હાજર રહી હતી. આ યુવતીઓ મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્ર, બૂંદેલખંડ અને ચિત્રકૂટ વિસ્તારમાંથી યુવતીઓ લગ્ન માટે લાવવામાં આવી હતી. આ સીતા સ્વંયવરનું આયોજન પાટીદાર કુર્મી મહાસભાના પૂર્વ મહિલા અધ્યક્ષ જાગૃતિબેન પટેલે કર્યું હતું. જો કે આ કાયક્રમનો ફિયાસ્કો થયો હતો, લગ્નોત્સુક યુવાનો ભારે નિરાશા સાથે તેમના ઘરે પરત ફર્યા હતા.


શા માટે સર્જાઈ કન્યાઓની અછત?


ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજમાં યુવતીઓની ભ્રુણ હત્યાનું ચલણ આજથી 30 વર્ષ રહેલાથી જ શરૂ ગયું હતું. પાટીદાર સમાજ આજે તે પાપની સજા ભોગવી રહ્યો છે. પાટીદારોમાં યુવકોની તુલનામાં યુવતીઓની સંખ્યા ચિંતાજનક હદે ઓછી છે. વર્તમાન સમયમાં સારો પગાર, સરકારી નોકરી, વિદેશ નિવાસ, કે પછી મોટી જમીન ધરાવતા  પાટીદાર યુવાનોને જ યુવતીઓ મળતી હોય છે. આ જ કારણે મધ્યમ વર્ગના પાટીદાર યુવાનો લગ્નની ઉંમર થઈ ગઈ હોય તેમ છતાં લગ્નના માર્કેટમાં તેમનો કોઈ ભાવ પણ પુછતું નથી. પરિસ્થિતી એટલી હદે વણસી છે કે કેટલાક યુવકોનો મહિને બે લાખનો  પગાર હોય તેમ છતાં તેમને યુવતી મળતી નથી. પાટીદારોમાં હવે સાટા પધ્ધતી તથા અન્ય રાજ્યોમાંથી યુવતીઓ લાવવાનું ચલણ વધ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.