SPGના અધ્યક્ષ લાલજી પટેલે વડાપ્રધાન મોદીને પત્ર લખી કરી આ માગ, PM પાસે મુલાકાતનો સમય માંગ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 19:48:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટીદાર સમાજના કહેવાતા આગેવાનો સક્રિય થયા છે. છેલ્લા પાંચ વર્ષથી ગાયબ થયેલા આ પાટીદાર નેતાઓનો સમાજ પ્રત્યેનો પ્રેમ ચૂંટણી આવતા અચાનક જ જાગૃત થઈ ગયો છે.  આ નેતાઓ હવે પાટીદારોની માંગણીઓને લઈ મેદાનમાં આવતા આશ્ચર્ય ઉપજે તે સ્વાભાવિક છે. SPGના અધ્યક્ષ લાલજી પટેલે પાટીદારોની માગણીને લઈ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હોવાનો દાવો કર્યો છે.


લાલજી પટેલે PM મોદીને પત્ર લખી શું માગ કરી?


SPGના અધ્યક્ષ લાલજી પટેલે પીએમ મોદીને પાટીદારોની ત્રણ માંગણીઓને લઈ પત્ર લખ્યો છે. પત્રમાં અનામત આંદોલન દરમ્યાન જે યુવાઓ સામે કેસ કરવામાં આવ્યા તે કેસ પરત ખેંચવામાં આવે. બીજી માગ પાટીદાર આંદોલન દરમિયાન મૃતકના પરિવારને સરકારી નોકરી આપવી તથા પાટીદાર આંદોલન દરમિયાન ઘાયલ થયેલા લોકોને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગણી કરી છે.


લાલજી પટેલે પ્રધાનમંત્રીને મળવા માટે સમય માંગ્યો


SPGના અધ્યક્ષ લાલજી પટેલના જણાવ્યા પ્રમાણે અમે રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં કરી છે. છેલ્લા સાત વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા તેમ છતાં માંગણી સંતોષાઈ નથી. અંતે સરદાર પટેલ સેવાદળે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી મુલાકાત આપવા સમય માંગ્યો છે. SPGના નેતાઓ પ્રધાનમંત્રી સમક્ષ તેમના પ્રશ્નો અને માંગણીઓ અંગે રજૂઆત કરશે.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.