પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફ પાકિસ્તાનમાં ઠાર, અજાણ્યા બંદૂકધારીઓએ આતંકીને ગોળી મારી


  • Published By :
  • Published Date : 2023-10-11 13:37:29

પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફને પાકિસ્તાનમાં ઠાર કરવામાં આવ્યો છે. શાહિદ લતીફ જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી હતો. શાહિદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના સિયાલકોટ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ શાહિદ લતીફને ગોળી મારી દીધી હતી. શાહિદ 41 વર્ષનો હતો અને તેણે 2 જાન્યુઆરી 2016ના રોજ પઠાણકોટ હુમલાને અંજામ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હત્યાથી જૈશ-એ-મોહમ્મદને મોટો ફટકો પડ્યો છે.


Image

16 વર્ષ સુધી ભારતની જેલમાં રહ્યા બાદ ડિપોર્ટે કરાયો


શાહિદ લતીફ પર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો આરોપ હતો. 12 નવેમ્બર 1994ના રોજ તેની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તે 16 વર્ષ સુધી ભારતની જેલમાં રહ્યો હતો. આ પછી લતીફે જૈશમાં રહીને આતંકવાદીઓને ભારત ઘુસાડવાનું શરૂ કર્યું હતું. લતીફ પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. ભારતીય તપાસ એજન્સીઓએ તેને આ કેસમાં આરોપી પણ બનાવ્યો હતો. આટલું જ નહીં, લતીફ 1999માં કંદહાર પ્લેન હાઇજેક કેસમાં પણ આરોપી હતો.


પઠાણકોટમાં 5 જવાનો શહીદ થયા હતા


જાન્યુઆરી 2016માં જૈશના ચાર આતંકવાદીઓ પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને ફાયરિંગ કર્યું હતું. જેમાં 5 જવાન શહીદ થયા હતા. સુરક્ષા દળોએ આ ચારેય આતંકીઓને પણ ઠાર માર્યા હતા. લતીફ આ આતંકીઓને કમાન્ડ આપતો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે