પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફ પાકિસ્તાનમાં ઠાર, અજાણ્યા બંદૂકધારીઓએ આતંકીને ગોળી મારી


  • Published By :
  • Published Date : 2023-10-11 13:37:29

પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફને પાકિસ્તાનમાં ઠાર કરવામાં આવ્યો છે. શાહિદ લતીફ જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી હતો. શાહિદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના સિયાલકોટ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ શાહિદ લતીફને ગોળી મારી દીધી હતી. શાહિદ 41 વર્ષનો હતો અને તેણે 2 જાન્યુઆરી 2016ના રોજ પઠાણકોટ હુમલાને અંજામ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હત્યાથી જૈશ-એ-મોહમ્મદને મોટો ફટકો પડ્યો છે.


Image

16 વર્ષ સુધી ભારતની જેલમાં રહ્યા બાદ ડિપોર્ટે કરાયો


શાહિદ લતીફ પર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો આરોપ હતો. 12 નવેમ્બર 1994ના રોજ તેની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તે 16 વર્ષ સુધી ભારતની જેલમાં રહ્યો હતો. આ પછી લતીફે જૈશમાં રહીને આતંકવાદીઓને ભારત ઘુસાડવાનું શરૂ કર્યું હતું. લતીફ પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. ભારતીય તપાસ એજન્સીઓએ તેને આ કેસમાં આરોપી પણ બનાવ્યો હતો. આટલું જ નહીં, લતીફ 1999માં કંદહાર પ્લેન હાઇજેક કેસમાં પણ આરોપી હતો.


પઠાણકોટમાં 5 જવાનો શહીદ થયા હતા


જાન્યુઆરી 2016માં જૈશના ચાર આતંકવાદીઓ પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને ફાયરિંગ કર્યું હતું. જેમાં 5 જવાન શહીદ થયા હતા. સુરક્ષા દળોએ આ ચારેય આતંકીઓને પણ ઠાર માર્યા હતા. લતીફ આ આતંકીઓને કમાન્ડ આપતો હતો.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.