શિસ્ત પક્ષ ગણાતા ભાજપ પક્ષના કાર્યાલય બહાર તેમના પાટણના કાર્યકર્તાઓનો વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-14 17:19:11

ગાંધીનગરની કમલમ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓનો જમાવડો થયો છે. વિવિધ ક્ષેત્રોથી ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ ગાંધીનગરના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે પાટણ અને બાયડના સ્થાનિકોએ અને કાર્યકર્તાઓએ કમલમ બહાર વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પહોંચી જવાના કારણે કમલમના દ્વાર બંધ કરી દેવાનો વારો આવ્યો હતો. તમામ કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા હોય છે પરંતુ આજે કોઈ કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા નથી. ગાંધીનગરના કમલમના મોટા નેતાઓ હાલ અમદાવાદ ખાતેના ભાજપના મીડિયા સેન્ટર પહોંચ્યા છે કારણ કે અમિત શાહ મીડિયા સેન્ટર પહોંચ્યા છે. ભાજપની પંદર બેઠકો પર જ્યાં મુંજવણ છે તેમાં કોને ઉમેદવાર બનાવવામાં આવે તેની ચર્ચા કરવામાં આવી રહી છે. આથી પાટણના લોકોની માગણી સાંભળવા કમલમ ખાતે કોઈ નથી.  


પાટણમાં રબારી કે ઠાકોરને કે સ્થાનિકને ટિકિટ આપો 

ભારતીય જનતા પાર્ટીએ પાટણ વિધાનસભા બેઠક પરથી બહારના ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈને ટિકિટ આપી છે. ભાજપના ડોક્ટર રાજુલ દેસાઈને પાટણ બેઠક પરથી મોકો અપાયો છે. ત્યારે સ્થાનિક ભાજપના લોકોમાં અને ભાજપના કાર્યકર્તાઓમાં વિરોધનો સૂર રેડાયો હતો અને તેઓ પાટણથી ગાંધીનગર કમલમ કાર્યાલય પર પહોંચ્યા છે. પાટણના લોકો અને પાટણના ભાજપના કાર્યકર્તાઓની માગણી છે કે બહારના વ્યક્તિને ટિકિટ ના આપવામાં આવે. તેમની માગણી છે કે કોઈ સ્થાનિકને અથવા કોઈ રબારી સમાજના વ્યક્તિને અથવા કોઈ ઠાકોર સમાજના વ્યક્તિને ઉમેદવાર બનાવવામાં આવે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.