પાટણ - લુણાવાડા બસના ડ્રાઈવરને આવ્યો Heart Attack, ડ્રાઈવરની સૂઝબૂઝને કારણે ટળી જાનહીની પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-11-02 16:17:04

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ તો અનેક લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા છે. પ્રતિદિન એવા અનેક કિસ્સાઓ આવી રહ્યા છે જેમાં એક નહીં પરંતુ બે ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ચિંતાજનક વધારો થઈ રહ્યો છે તેવામાં સાબરકાંઠાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બસ ચલાવી રહેલા ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો. બસ ચાલકને હાર્ટ એટેક આવ્યો અને બસ ખાડામાં ઉતરી. સમયસૂચકતા વાપરી એસટી બસ ચાલકે મુસાફરોનો આબાદ બચાવ કર્યો છે.  મહત્વનું છે કે અંકલેશ્વરમાં 10 વર્ષની બાળકીને હાર્ટ એટેક આવ્યો છે.     

બસ ચલાવતી વખતે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. પ્રતિદિન અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે જેમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે. સાજો લાગતો વ્યક્તિ ક્યારે મોતને ભેટી જાય છે તેની ખબર નથી પડતી. છેલ્લા ઘણા સમયથી અનેક લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા. ત્યારે એસટી બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો છે. આ ઘટના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઇવે પર બની છે. 


સારવાર માટે ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયા 

આ અંગે મળતી માહિતી અનુસાર પાટણ-લુણાવાડા બસ પોતાના નિર્ધારિત સમયે ઉપડી હતી. આ દરમિયાન પોલાસપુર પાટિયા વિજાપુર હાઇવે પર બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો. તબિયત બગડતા તેમણે બસને સાઈડમાં ઉભી રાખી. બસ સાઈડમાં ઉભી રાખી પરંતુ તે બસ ખાડામાં પડી ગઈ. આ ઘટનામાં ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે જાનહાની ટળી છે. ડ્રાઈવરને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે   


અનેક લોકોએ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો જીવ 

યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં હૃદયહુમલાનો શિકાર લોકો બની રહ્યા છે. પ્રતિદિન લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. નવરાત્રી દરમિયાન પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગઈકાલે પણ હૃદયહુમલાના કિસ્સાઓ નોંધાયા છે. તે પહેલા પણ પ્રતિદિન આવા કિસ્સાઓ આપણી આવે છે. 

વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ વધારી સરકારની ચિંતા 

મહત્વનું છે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે સરકારની ચિંતા પણ વધી છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર આ મામલે વિચારણા કરી રહી છે. થોડા સમય પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે જે લોકોને સિવિયર કોરોના થયો છે તેમણે વધારે કસરત અથવા તો શ્રમ ન કરવો જોઈએ. આજે પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!