પાટણ લોકસભા બેઠકના બદલાયા સમીકરણો! ગુજરાત Congressના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આ કારણોસર ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, સાંભળો


  • Published By :
  • Published Date : 2024-03-12 09:58:17

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી શકે છે. ઉમેદવારોને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ 15 બેઠકો માટે ભાજપે જાહેરાત કરી દીધી છે. એવું લાગતું હતું કે લોકસભા બેઠકો માટે કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે પરંતુ આ બધા વચ્ચે સમાચાર આવ્યા કે જગદીશ ઠાકોર ચૂંટણી નથી લડવાના. તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, નવા ઉમેદવારોને તક મળે અને તેઓ આગળ આવે એ જરુરી છે.   

ભાજપ અને કોંગ્રેસ કરી શકે છે ઉમેદવારોના નામની યાદી જાહેર 

ભારતીય જનતા પાર્ટીએ 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાત માટે કોંગ્રેસે એક બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી જ્યારે ભાજપે 26માંથી 15 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. 7 માર્ચથી રાહુલ ગાંધી ગુજરાતમાં હતા. તેમની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં હતી. એવું લાગતું હતું કે રાહુલ ગાંધીની યાત્રા પૂર્ણ થશે તે બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવશે અને એવી માહિતી પણ સામે આવી છે કે આજ સાંજ સુધીમાં આ યાદી જાહેર થઈ શકે છે. 


જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર!

પાટણ લોકસભા બેઠક માટે એવું માનવામાં આવતું હતું કે જગદીશ ઠાકોરને ઉમેદવાર કોંગ્રેસ બનાવી શકે છે પરંતુ ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. એક નિવેદન સામે આવ્યું છે જેમાં જગદીશ ઠાકોરે આ અંગેની વાત કરી છે. જો પાટણ લોકસભા બેઠકની વાત કરીએ તો ૨૦૧૯માં પાટણ લોકસભામાં  BJPના ભરતસિંહજી ડાભી દ્વારા ૧,૯૩ , ૮૭૯ ની સરસાઈથી જીત મેળવાઈ હતી. તો સામે કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોર ઉભા હતા . હવે વાત પાટણ લોકસભાના એરિથમેટિકની તો આ લોકસભામાં આવે છે. વડગામ , કાંકરેજ , રાધનપુર , ચાણસ્મા , પાટણ , સિદ્ધપુર , ખેરાલુ એમ આ બેઠકની અંદર સાત વિધાનસભા બેઠક આવે છે. 


કોંગ્રેસે 4 બેઠકો પર જ્યારે બીજેપીએ 3 બેઠકો પર જીત હાંસલ કરી

કોંગ્રેસે ૨૦૨૨ની વિધાનસભામાં ૪ બેઠકો વડગામ , કાંકરેજ , ચાણસ્મા , પાટણ જીતી હતી , જયારે BJP એ માત્ર ૩ બેઠકો રાધનપુર , સિદ્ધપુર અને ખેરાલુ પર વિજય મેળવ્યો હતો . આ તરફ આપને જણાવી દઈકે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન ન હતું , એટલે કોંગ્રેસના વોટ પણ કપાયા હતા . બીજી સૌથી મહત્વની વાત એ છે કે , કોંગ્રેસને આ વસ્તુ છેક ૨૦૨૨થી ખબર હતી તો પણ કોંગ્રેસે મેહનત ચાલુ ના કરી. ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ આ બેઠક માટે કોને ઉમેદવાર બનાવે છે?  



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.