Patan : હારીજ પાસે બની હિટ એન્ડ રનની ઘટના, પગપાળા જઈ રહેલા ભક્તોને અજાણ્યા વાહને કચડી નાખ્યા...


  • Published By :
  • Published Date : 2024-02-15 12:25:32

અમદાવાદમાં થોડા સમય પહેલા તથ્ય કાંડ થયો હતો. તથ્ય પટેલે નશાની હાલતમાં અનેક લોકોને પોતાની ગાડી નીચે કચડી નાખ્યા હતા. થોડા દિવસો પહેલા આણંદથી આવી ઘટના સામે આવી હતી જેમાં નબીરાએ 4 જેટલા લોકોને કચડી નાખ્યા હતા ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. હારીજ ચાણસ્મા હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડીયાર માતાજીના મંદિરે પગપાળા જઈ રહેલા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડી નાખ્યા છે. હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  News18 Gujarati

હારીજમાં સર્જાઈ હિટ એન્ડ રનની ઘટના!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. દરેક જગ્યા પર રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. બેફામ બનીને લોકો એવી રીતે વાહન ચલાવતા હોય છે કે જાણે રસ્તા તેમના બાપનો હોય. રસ્તાને બાપનો બગીચો સમજીને બેઠેલા લોકો અનેક વખત એવા અકસ્માત સર્જતા હોય છે જેમાં અનેક લોકો કાળનો કોળિયો બનતા હોય છે. અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. રસ્તો ખાલી જોયો નથી કે લોકો વાહનની સ્પીડ એટલી બધી વધારી દે છે કે જો કોઈ સામેથી વાહન આવે તો વાહનને કંટ્રોલ કરવું અશક્ય બની જાય છે. ત્યારે એક ગોજારો અકસ્માત પાટણના હારીજમાં સર્જાયો છે. કાળ બનીને આવેલા ટ્રકે ત્રણ જીંદગીને કચડી નાખી. મળતી માહિતી અનુસાર ખોડીયાર માતાએ દર્શન કરવા પદયાત્રીઓ જઈ રહ્યા હતા.

News18 Gujarati

અકસ્માતમાં થયા ત્રણ લોકોના મોત, અનેક લોકોની હાલત ગંભીર 

આ ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શન કરવામાં માટે જઈ રહ્યો હતો .હારીજ-ચાણસ્મા હાઇવે પરના દાંતરવાડા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે જ્યારે અન્ય લોકોની હાલત ગંભીર છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે. 

News18 Gujarati

અકસ્માત શબ્દ એટલો સામાન્ય બની ગયો છે કે...  

મહત્વનું છે કે અકસ્માતોની ઘટનામાં ભયંકર વધારો થયો છે. અકસ્માત થવો જાણે સામાન્ય બાબત થઈ ગઈ છે તેવું લાગે છે. અકસ્માતોમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. કદાચ એટલા અકસ્માતો આપણે જોઈ લીધા છે, એટલા અકસ્માતો વિશે આપણે જાણીએ છીએ કે જો વધારે લોકોના મોત ના થયા હોય તો આપણને દુખ નથી થતું! જો અકસ્માતમાં એક કે બે વ્યક્તિનું મોત થયું હોય તો આપણને કદાચ એમ થાય કે ખાલી એક જ વ્યક્તિનું મોત થયું છે ને. આપણને ફરક ના પડે કદાચ આપણે મોટા આંકડા સાંભળવવા માટે ટેવાઈ ગયા હોઈ છીએ. ભલે એક વ્યક્તિ મોત પામે છે, તે આપણા માટે એક વ્યક્તિ હશે પરંતુ તેના પરિવાર માટે તે સર્વસ્વ હશે. કદાચ આપણામાં રહેલી માનવતા કદાચ મરી પરવારી છે કે એક વ્યક્તિનું મોત થયું હોય તો આપણને દુખ નથી થતું!     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!