કલોલ અંબિકા બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોતા મુસાફરો બન્યા કાળનો કોળિયો! પાછળથી આવતી બસને કારણે લોકો પર ટાયર ફરી વળ્યું! જાણો કેવી રીતે સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-05-10 17:45:08

કલોલ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર અંબિકા બસ સ્ટેન્ડ નજીક આ અકસ્માત સર્જાયો છે. બસની રાહ જોતા લોકો પર બસ ફરી વળી હતી. ખાનગી બસ અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેેલે શોક વ્યક્ત કર્યો છે. આ ઘટનામાં મોત પામેલા લોકોને ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી છે જ્યારે ઈજાગ્રસ્તને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.

   


એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત!

સમગ્ર ઘટનાની વાત કરીએ તો અંબિકા બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા મુસાફરો વાહનની રાહ જોતા હતા તે વખતે વાદળી કલરની એસટી બસ રોડ પર ઉભી હતી. આ બસની આગળ મુસાફરો ઉભા હતા. તે દરમિયાન ફૂલ સ્પીડમાં પાછળથી આવતી લક્ઝરી બસે વાદળી બસને ટક્કર મારી હતી. એસ.ટી બસને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી કે આગળ ઉભેલી વાદળી બસ આગળ ધકેલાઈ ગઈ. બસને ટક્કર વાગતા વાદળી બસ આગળ ધકેલાઈ અને બસની આગળ ઉભેલા લોકો બસની અટફેટે આવી ગયા. અને પાંચ જેટલા મુસાફરોના ઘટના સ્થળે કરૂણ મોત થઈ ગયા હતા. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.     


ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!   

આ બનાવને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.