કોરોના કેસ ઘટતા વિદેશથી આવતા યાત્રિકોઓએ નહીં ભરવું પડે એર સુવિધા ફોર્મ


  • Published By :
  • Published Date : 2022-11-22 09:09:40

Indian health ministry દ્વારા સોમવારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત મુસાફરોએ એર સુવિધા ફોર્મ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોના વાયરસ વધવાને કારણે ભારત સરકારે વિદેશથી આવતા મુસાફરો માટે એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજીયાત કર્યું હતું પરંતુ કોરોના કેસ ઘટતા મુસાફરોને ફોર્મ ભરવામાંથી મુક્તિ આપી દીધી છે.

   

વિદેશથી આવતા મુસાફરોનો રખાતો હતો રેકોર્ડ 

કોરોના મહામારીના સમય દરમિયાન ભારતમાં કોરોના વાયરલ વધુ ન વકરે તે માટે ભારત સરકારે અનેક નિયમો લાદી દીધા હતા. ઉપરાંત વિદેશથી આવતા મુસાફરોએ એર સુવિધા ફોર્મ ભરવું પડતું હતું. જેમાં મુસાફરોએ પોતાની વિગતો ભરવાની હતી. જેવી કે તેઓ ક્યાંથી આવ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે, મોબાઈલ નંબર, તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી પૂછવામાં આવતી હતી. 

Image

શા માટે શરૂ ભરવામાં આવતું હતું આ ફોર્મ?  

કોરોના કેસ વધતા ભારત આવતા તમામ યાત્રીકો માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક વેબસાઈટ શરૂ કરી હતી જેમાં સેલ્ફ ડિક્લેશેન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. તમામ યાત્રીકોએ આ પોર્ટલ પર સેલ્ફ ડિક્લેશન ફોર્મ ભરવું પડતું હતું. આ ફોર્મના માધ્યમથી વિદેશથી આવતા દરેક યાત્રીઓનો રેકોર્ડ રાખવામાં આવતો હતો. પરંતુ કોરોના કેસ ઘટતા એક નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે અને એર સુવિધા ફોર્મ ભરવાની અનિવાર્યતાને સમાપ્ત કરી દીધી છે. જેને કારણે હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ સેલ્ફ ડિક્લેશેન ફોર્મ ભરવાની જરૂરત નથી. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.