બાંગ્લાદેશમાં માલગાડી સાથે પેસેન્જર ટ્રેનની ટક્કર, 20ના મોત, 100થી વધુ લોકો ઘાયલ, મત્યૃઆંક વધવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-10-23 20:11:59

બાંગ્લાદેશમાં સોમવારે એક પેસેન્જર ટ્રેન અને માલગાડી ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાતા ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ભૈરબ રેલ્વે સ્ટેશનના ડ્યુટી ઓફિસર સિરાજુલ ઈસ્લામે મીડિયાને જણાવ્યું કે, સ્થાનિક સમયાનુસાર બપોરે 3.30 વાગ્યે કિશોરગંજ ખાતે ચટ્ટોગ્રામ તરફ જતી માલસામાન ટ્રેન ઢાકાથી જતી એગ્ગારો સિંદુર એક્સપ્રેસ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. 


મૃત્યુઆંક વધી શકે


બાંગ્લાદેશ ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના મીડિયા ચીફ શાહજહાં સિકદરે જણાવ્યું હતું કે, "અત્યાર સુધી કાટમાળમાંથી 20 મૃતદેહો મળી આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે." તેમણે કહ્યું કે ફાયર સર્વિસના એક ડઝનથી વધુ એકમો બચાવ કામગીરી કરી રહ્યા છે. ક્ષતિગ્રસ્ત કોચ નીચે ઘણા લોકો ફસાયેલા છે. ઢાકા રેલ્વે પોલીસ અધિક્ષક અનવર હુસૈને જણાવ્યું હતું કે, "પ્રારંભિક રિપોર્ટ અનુસાર, માલગાડીએ ઇગારો સિંદુર એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી."


ક્રેન સાથે ટ્રેન રવાના થઈ


દુર્ઘટના સ્થળે હાજર ફાયર બ્રિગેડ સેવાના અધિકારીઓએ કહ્યું કે એવી આશંકા છે કે લોકો હજુ પણ જર્જરિત વેગન નીચે ફસાયેલા છે. જોકે, 100થી વધુ મુસાફરો ઘાયલ છે અને તેમને બચાવી લેવામાં આવ્યા છે. ક્રેન વડે રેસ્ક્યુ ટીમ અકસ્માત સ્થળે દોડી આવી છે. બાંગ્લાદેશની તસવીરો દર્શાવે છે કે લોકો ફસાયેલા છે. સામાન્ય લોકો પણ મદદમાં લાગેલા છે.



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?