લંડન જઈ રહેલી ફ્લાઈટમાં પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે કર્યું ગેરવર્તન, ફ્લાઈટમાં કરી મારપીટ, દિલ્હી ફ્લાઈટ પરત ફરી


  • Published By :
  • Published Date : 2023-04-11 09:37:57

ઘણા સમયથી ફ્લાઈટમાં એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેને કારણે ચર્ચાઓ થતી રહે છે. થોડા દિવસ પહેલા ઈન્ડિગો ફ્લાઈટમાં એક પેસેન્જરે સિગરેટ સળગાવી દીધી હતી, તો કોઈ વખત મહિલા પેસેન્જર પર પેસાબ કરવાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કરવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક પેસેન્જરે ક્રૂ મેમ્બર્સ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. જેમાં 2 ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે. જેને કારણે ફ્લાઈટ દિલ્હી પરત ફરી હતી.

 


પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે કર્યું ગેરવર્તન  

ફ્લાઈટમાં સવાર પેસેન્જરો ઘણી વખત પોતાની મર્યાદા ભૂલી જતા હોય તેવું લાગી રહ્યું છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા રહે છે કે જેમાં પેસેન્જર દ્વારા કરવામાં આવતા વર્તનને કારણે ચર્ચાઓ થતી હોય છે. ત્યારે ક્રૂ મેમ્બર્સ સાથે એક પેસેન્જરે ગેરવર્તન કર્યું હતું. એયર ઈન્ડિયાની ફ્લાઈટમાં આ ઘટના બની હતી. પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કર્યું હતું. પેસેન્જર દ્વારા આ પ્રકારનું વર્તન કરાતા ઉપરાંત મારપીટ કરાતા ફ્લાઈટ દિલ્હી પરત ફરી હતી. ઉડાન ભરી તે બાદથી પેસેન્જરે ગેરવર્તન કરવાની શરૂઆત કરી દીધી હતી. વિમાનના સ્ટાફે અનેક વખત ચેતવણી આપી પરંતુ તેણે ગેરવર્તન કરવાનું ચાલું રાખ્યું અને તે બાદ મારપીટ પણ શરૂ કરી દીધી હતી. પેસેન્જર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. પેસેન્જર હાલ પોલીસ કસ્ટડીમાં છે.


ફ્લાઈટમાં બની રહ્યા છે આવા અનેક કિસ્સાઓ   

આ પહેલી ઘટના નથી જ્યારે પેસેન્જર દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોય. થોડા સમય પહેલા ફ્લાઈટમાં એક પેસેન્જરે સિગરેટ સળગાવી દીધી હતી જેને કારણે ફ્લાઈટમાં ફાયર એલાર્મ વાગી ગયું હતું, પેસેન્જર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ પહેલા જાન્યુઆરીમાં સ્પાઈસ જેટની ફ્લાઈટમાં પણ એક પેસેન્જરે એયરહોસ્ટેસ સાથે ગેરવર્તન કર્યું હતું. તે પહેલા એયર ઈન્ડિયામાં એક પેસેન્જરે મહિલા પેસેન્જર પર પેસાબ કરી દીધો હતો.શંકર મિશ્રા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફ્લાઈટમાં નશાની હાલતમાં લોકો એવી હરકતો કરી દેતા હોય છે જેને કારણે અન્ય લોકોને હેરાન થવાનો વારો આવે છે.       

    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.