આવતી કાલે પરષોત્તમ રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ, શું ક્ષત્રિય સમાજને મનાવવામાં ભાજપ સફળ જશે? સાંભળો આ વિવાદ મુદ્દે શું કહ્યું C.R.Patilએ?


  • Published By :
  • Published Date : 2024-04-15 17:28:17

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે . ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જે બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે... આ બધા વચ્ચે આવતી કાલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે આ બધા વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં સી.આર.પાટીલને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 

ભાજપના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે થઈ બેઠક 

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આવતી કાલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવાના છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.. એવું લાગતું હતું કે આ વિવાદ શાંત થઈ જશે પરંતુ દિવસેને દિવસે આ વિવાદ ઉગ્ર બની રહ્યો છે. ગઈકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ વિવાદને શાંત કરવા માટે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ પરંતુ તે બેઠકનું કંઈ પરિણામ ના આવ્યું. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે તો બધા વચ્ચે આજે સી.આર.પાટીલે આ મામલે પ્રતિક્રિયા આપી છે...


સી.આર.પાટીલે ચાલી રહેલા વિવાદને લઈ કહ્યું.....  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમને પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પૂછવામાં આવ્યું હતું. ત્યારે આજે આ મામલે સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે ‘ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હું, હર્ષ સહિત અમે બધા તેમની સાથે સંપર્કમાં છીએ. અમારી આગેવાનો સાથે વાતચીત ચાલી રહી છે. આ મામલે સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયત્નો છે. અમે આ બાબતે ગંભીર છીએ. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા આવતી કાલે ઉમેદવારી ફોર્મ નોંધાવાના છે....  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.