Rajkotથી Parshottam Rupala જ લડશે ચૂંટણી? કહ્યું મને દિલ્હીથી કોઈ તેડું આવ્યું નથી! જાણો પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું પરષોત્તમ રૂપાલાએ?


  • Published By :
  • Published Date : 2024-04-01 14:47:02

ક્ષત્રિય સમાજ માટે પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મોહન કુંડારીયાની ટિકીટ કાપી અને પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી હતી. આ વિવાદ એટલો બધો વધી ગયો કે પરષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી બદલવાની માગ ઉઠી છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પડ્યું છે કે પરષોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે. એવી ચર્ચાઓ ચાલતી હતી કે ઉમેદવારને ભાજપ બદલી શકે છે પરંતુ આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું હું કેન્દ્ર સરકારના કામથી દિલ્હી જવાનો છું. હું 3 અને 4 એપ્રિલે ત્યાં જ રહીશ...  

ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપ્યું હતું વિવાદીત નિવેદન 

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક જગ્યાઓ એવી હતી જ્યાં ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપના જ કાર્યકર્તાઓ રસ્તા પર વિરોધ કરવા ઉતરી આવ્યા. ત્યારે રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ વિવાદીત નિવેદન આપ્યું હતું. જેને લઈ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યા છે. 


પરષોત્તમ રૂપાલાએ કરી પ્રેસ કોન્ફરન્સ અને આપી આ સ્પષ્ટતા

આ બધા વચ્ચે રાજકોટ લોકસભા બેઠકને લઈ અનેક સમાચારો સામે આવી રહ્યા હતા. એવી વાતો સામે આવી કે ભાજપ આ બેઠક પર ઉમેદવાર બદલી શકે છે, મોહન કુંડારીયાને ટિકીટ આપવામાં આવી શકે છે. ક્ષત્રિય સમાજની અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી માગી અને આ બધા વચ્ચે તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અનેક વાતોની સ્પષ્ટતા કરી હતી. એવી વાતો સામે આવી હતી કે તેમને દિલ્હીથી તેડું આવ્યું છે. આ નિવેદનને તેમણે નકારી કાઢ્યું છે અને તેમણે કહ્યું કે હું કેન્દ્ર સરકારના કામથી દિલ્હી જવાનો છું. હું 3 અને 4 એપ્રિલે ત્યાં જ રહીશ. ત્યારે જોવું રહ્યું કે રાજકોટ બેઠક પર આગળ શું થાય છે?   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.