Parshottam rupala - ક્ષત્રિય સમાજ વિવાદમાં ઉછળ્યું ભાજપના નેતા ભરત બોઘરાનું નામ! સાંભળો વિવાદમાં સંડોવણી હોવાની ચર્ચાઓને લઈ શું કરી સ્પષ્ટતા?


  • Published By :
  • Published Date : 2024-04-09 12:03:30

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તે બધા નિષ્ફળ સાબિત થયા. પરષોત્તમ રૂપાલાએ અનેક વખત ક્ષત્રિય સમાજની માફી પણ માગી પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે આ આંદોલન પાછળ ભાજપના જ નેતાની સંડોવણી છે. ભાજપના નેતાનો હાથ હોવાની ચર્ચા થતા રાજકારણ ગરમાયું અને આ બધા વચ્ચે ભરત બોઘરાએ સ્પષ્ટીકરણ આપ્યું. તેમણે કહ્યું કે  'જો ક્ષત્રિય આંદોલનમાં મારી કોઈ ભૂમિકા સામે આવે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું.  

ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના નેતાની સંડોવણીની વાત આવી સામે!

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે આ આંદોલન પાછળ ભાજપના નેતાનો હાથ છે. આવી વાત સામે આવતા રાજકારણ ગરમાવું સ્વભાવિક હતું અને છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના જ નેતાનો દોરી સંચાર હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે અને નિશાન ભરત બોઘારા બાજુ હતું હતું એ વચ્ચે તેમણે સ્પષ્ટતા આપી છે. 


વિવાદમાં નામ ઉછળતા ભરત બોઘરાએ કહ્યું કે.... 

ક્ષત્રિય આંદોલન પાછળ ભરત બોઘરાનું નામ ચર્ચામાં આવતા તેમણે સ્પષ્ટીકરણ આપ્યું છે. સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું કે હું વીસ વર્ષથી પાયાના કાર્યકર તરીકે કામ કરૂં છું, આંદોલનના કોઈ પણ નેતા સાથેનો સંપર્ક જોવા મળે તો રાજકારણ છોડી દઈશ. મહત્વનું છે કે આજે કરણી સેના દ્વારા ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વિવાદને શાંત કરવા માટે કરાયેલા પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે નામાંકન દાખલ કરાવાના છે.  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.