Breaking News : પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વચ્ચે શરૂ થયેલા વિવાદને શાંત કરવા મળેલી બેઠક નિષ્ફળ, ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ


  • Published By :
  • Published Date : 2024-04-03 17:28:18

 પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ક્ષત્રિય સમાજની માગ હતી કે રાજકોટ બેઠક પર ઉમેદવારને બદલવામાં આવે. પોતાની માગ સાથે ક્ષત્રિય સમાજ અડગ છે. અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી પણ માગી, પરંતુ ક્ષત્રિય સમાજમાં ભરાયેલો રોષ યથાવત જોવા મળ્યો હતો. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા.  > અમદાવાદ ખાતે ભાજપના તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો-નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. કલાકો ચાલેલી બેઠક નિષ્ફળ સાબિત થઈ છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવા માટે ક્ષત્રિય સમાજ અડગ છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તે બાદ ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે... 

ક્ષત્રિય સમાજ અને ભાજપના નેતાઓ વચ્ચે થઈ હતી બેઠક 

ગુજરાતમાં અનેક એવી લોકસભા બેઠકો છે જ્યાં ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા. રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાને લઈ વિરોધ થયો હતો. એક જ માગ પર ક્ષત્રિય સમાજ અડગ હતો કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. 


પરષોત્તમ રૂપાલાને બદલવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ 

વિવાદને શાંત કરવા માટે ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને બેઠકનું આયોજન થયું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર હતા. તે બાદ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને જાહેરાત કરવામાં આવી કે ત્રીજી એપ્રિલે ક્ષત્રિય આગેવાનો અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક થશે. આ બેઠક પર સૌ કોઈની નજર રહેલી હતી. એવું લાગતું હતું કે આ બેઠક બાદ આ વિવાદ શાંત થઈ જશે પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે.. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તે માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે..... ત્યારે પ્રશ્ન છે થાય કે શું ભાજપ પોતાના ઉમેદવારને બદલશે? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.