પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વિવાદ : Gujaratના પૂર્વમુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કરી પ્રેસ કોન્ફરન્સ કહ્યું- ભાજપની લુખ્ખી દાદાગીરી... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-04-02 16:13:36

ગુજરાતની રાજનીતિ પ્રતિદિન ગરમાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા તે બાદ તો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. એક તરફ ઉમેદવારોને લઈ વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યું છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. વિવાદને શાંત કરવામાં ભાજપે કવાયત શરૂ કરી દીધી છે અને આ બધા વચ્ચે શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભાજપની લુખ્ખી દાદાગીરી સામે તો ચૂપ નહીં રહેવાય.

રષોત્તમ રૂપાલાના નિવેદન મામલે શંકરસિંહ વાઘેલા મેદાનમાં 

રાજકોટ લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. પ્રતિદિન આ મામલો વધારે ઉગ્રને ઉગ્ર બની રહ્યો છે. સી.આર.પાટીલના નિવાસસ્થાને આજે બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ પ્રતિક્રિયા આપી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. ક્ષત્રિય સમાજના સમર્થનમાં તે આવ્યા હતા.    


શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું...

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે. ભાજપ જલ્દીથી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે.કોઈપણ સમાજનું અપમાન યોગ્ય નથી. ઉમેદવાર નહીં બદલાય તો રૂપાલાના નિવેદનને ભાજપનું સમર્થન ગણવામાં આવશે. જાહેર જીવનમાં બોલતા પહેલા ધ્યાન રાખવું પડે. દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત થયું હતું. સરકારે દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. બે ઉમેદવાર બદલ્યા તો રૂપાલા કેમ નહીં. આ લડાઈ ભાજપ અને પટેલ સમાજ સામે નથી. સહન શક્તિની એક મર્યાદા હોય છે. ભાજપે વહેલી તકે નિર્ણય કરવો જોઈએ. કોઈપણ વ્યક્તિ બેન-દિકરીનું અપમાન સહન કરી શકે નહીં. ક્ષત્રિય સમાજ સામે કાર્યવાહી થઈ તો હું આવીશ. ક્ષત્રિય સમાજની સાથે હું ઉભો રહીશ. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.