પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વિવાદ : Gujaratના પૂર્વમુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કરી પ્રેસ કોન્ફરન્સ કહ્યું- ભાજપની લુખ્ખી દાદાગીરી... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-04-02 16:13:36

ગુજરાતની રાજનીતિ પ્રતિદિન ગરમાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા તે બાદ તો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. એક તરફ ઉમેદવારોને લઈ વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યું છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. વિવાદને શાંત કરવામાં ભાજપે કવાયત શરૂ કરી દીધી છે અને આ બધા વચ્ચે શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભાજપની લુખ્ખી દાદાગીરી સામે તો ચૂપ નહીં રહેવાય.

રષોત્તમ રૂપાલાના નિવેદન મામલે શંકરસિંહ વાઘેલા મેદાનમાં 

રાજકોટ લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. પ્રતિદિન આ મામલો વધારે ઉગ્રને ઉગ્ર બની રહ્યો છે. સી.આર.પાટીલના નિવાસસ્થાને આજે બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ પ્રતિક્રિયા આપી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. ક્ષત્રિય સમાજના સમર્થનમાં તે આવ્યા હતા.    


શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું...

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે. ભાજપ જલ્દીથી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે.કોઈપણ સમાજનું અપમાન યોગ્ય નથી. ઉમેદવાર નહીં બદલાય તો રૂપાલાના નિવેદનને ભાજપનું સમર્થન ગણવામાં આવશે. જાહેર જીવનમાં બોલતા પહેલા ધ્યાન રાખવું પડે. દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત થયું હતું. સરકારે દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. બે ઉમેદવાર બદલ્યા તો રૂપાલા કેમ નહીં. આ લડાઈ ભાજપ અને પટેલ સમાજ સામે નથી. સહન શક્તિની એક મર્યાદા હોય છે. ભાજપે વહેલી તકે નિર્ણય કરવો જોઈએ. કોઈપણ વ્યક્તિ બેન-દિકરીનું અપમાન સહન કરી શકે નહીં. ક્ષત્રિય સમાજ સામે કાર્યવાહી થઈ તો હું આવીશ. ક્ષત્રિય સમાજની સાથે હું ઉભો રહીશ. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.