Parshottam Rupala વિવાદ: MLA Jignesh Mevani દેખાયા આક્રામક! સાંભળો શું કહ્યું જીજ્ઞેશ મેવાણીએ?


  • Published By :
  • Published Date : 2024-04-06 14:25:56

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.. રાજ્યના અનેક ભાગોમાં પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. પોસ્ટરો લગાવવામાં આવ્યા... ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે. રાજકોટ ખાતે આજે ક્ષત્રિય સમાજની બેઠક થવાની છે. આ મામલે અનેક રાજનેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. પરેશ ધાનાણીએ અનેક વખત સોશિયલ મીડિયા પર આ મામલે પ્રતિક્રિયા આપી છે, અનેક ટ્વિટ કરવામાં આવી છે તેમના દ્વારા.. આ બધા વચ્ચે જીજ્ઞેશ મેવાણીની પરષોત્તમ રૂપાલાના નિવેદન મામલે પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તે એકદમ આક્રોશમાં દેખાયા હતા. 

વિવાદને શાંત કરવા માટે કરવામાં આવ્યા પ્રયાસો પરંતુ... 

ગુજરાતની અનેક બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. અનેક બેઠકો પર ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જેનો વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત નથી થઈ રહ્યો. વિવાદ વધારેને વધારે વધતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.          


જીજ્ઞેશ મેવાણીએ પરષોત્તમ રૂપાલાના  નિવેદન પર આપી પ્રતિક્રિયા!   

આ બધા વચ્ચે જીજ્ઞેશ મેવાણીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણી ખૂબ આક્રામક દેખાઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરવા પહોંચેલા જીજ્ઞેશ મેવાણીએ ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલા પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેઓ કહેવા માંગતા હતા કે ભાજપે ટિકીટ તો કાપવી જ પડશે ઉપરાંત એવું પણ કહ્યું કે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે... મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજનો વિવાદ પ્રતિદિન વધી રહ્યો છે..!   




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.