Parshottam Rupala વિવાદમાં Botadમાં ચાલુ સભામાં BJPના આગેવાને આપ્યું રાજીનામું, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-12 15:06:12

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિરોધ હજી સુધી શાંત નથી થયો. લોકસભાની ચૂંટણી પહેલા રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી અને ક્ષત્રિય સમાજ નારાજ થયો... પહેલા રુપાલાનો વિરોધ હવે ભાજપના વિરોધમાં ફેરવાઈ રહ્યો હોય તેવું લાગે છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. અનેક એવા વીડિયો સામે આવ્યા છે ત્યારે આ વિવાદને કારણે ભાજપમાંથી રાજીનામા પડી રહ્યા છે.  બોટાદના પાળિયાદ ગામે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે રાજીનામું આપી દીધું હતું.. 

ભાજપના અનેક નેતાઓને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો 

રાજકોટ વિધાનસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. ક્ષત્રિય સમાજને લઈ તેમણે નિવેદન આપ્યું તે બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ થઈ રહી છે. આ બધા વચ્ચે ના માત્ર પરષોત્તમ રૂપાલાનો પરંતુ ભાજપનો પણ વિરોધ ધીરે ધીરે શરૂ થઈ ગયો છે તેવું લાગી રહ્યું છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગામડે-ગામડે રુપાલાના બોયકોટના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે... સંમેલનો થઈ રહ્યાં છે.. એટલું જ નહીં રુપાલાના વિરોધનો અને આક્રોશને લઈને ભાજપના અન્ય નેતાઓ પર જનતાના આક્રોશનો ભોગ બની રહ્યાં છે.... 


રાજીનામું આપતા કહ્યું કે.... 

હજી સુધી ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હવે તો ભાજપમાંથી રાજીનામા પણ પડી રહ્યાં છે... અને એ પણ મોદી પરિવાર નામથી યોજાયેલી સભામાં ચાલુ સભાએ રાજીનામા પડી રહ્યાં છે.. અહીંયા વાત થઈ રહી છે બોટાદની જ્યાં પાળિયાદમાં મોદી પરિવારની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ભાજપના મહામંત્રી વિજયભાઈ ખાચરે રાજીનામુ આપ્યું છે.. ક્ષત્રિયોના સમર્થનમાં આવ્યા અને સમાજનો સાથ આપતા કહ્યું કે હું 17 વર્ષનો હતો જ્યારે પ્રથમ વોટનો અધિકાર નહોતો ત્યારથી ભાજપમાં જોડાયેલો છું.. 20 વર્ષથી ભાજપ માટે કામ કરું છું.. પણ રુપાલાએ જે ટિપ્પણી કરી તેના કારણે મારો સમાજ આહત થયો છે..અને એટલે હું રાજીનામુ આપુ છું...  


આ વિવાદ શાંત થાય તે માટે કરાઈ રહ્યા છે અનેક પ્રયાસ 

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એક તરફ રાજકીય પક્ષો પોતપોતાના ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે અન્ય વહીવટી તંત્ર પણ મતદારોને મતદાન અંગે જાગ્રત કરવામાં વ્યસ્ત છે. મતદાનની ટકાવારી વધારવા માટે વહીવટી તંત્ર સતત નવતર પ્રયાસો કરી રહ્યું છે, આ બધાની વચ્ચે હવે વિરોધ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યો છે.  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.