Parshottam Rupala વિવાદમાં Botadમાં ચાલુ સભામાં BJPના આગેવાને આપ્યું રાજીનામું, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-12 15:06:12

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિરોધ હજી સુધી શાંત નથી થયો. લોકસભાની ચૂંટણી પહેલા રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી અને ક્ષત્રિય સમાજ નારાજ થયો... પહેલા રુપાલાનો વિરોધ હવે ભાજપના વિરોધમાં ફેરવાઈ રહ્યો હોય તેવું લાગે છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. અનેક એવા વીડિયો સામે આવ્યા છે ત્યારે આ વિવાદને કારણે ભાજપમાંથી રાજીનામા પડી રહ્યા છે.  બોટાદના પાળિયાદ ગામે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે રાજીનામું આપી દીધું હતું.. 

ભાજપના અનેક નેતાઓને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો 

રાજકોટ વિધાનસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. ક્ષત્રિય સમાજને લઈ તેમણે નિવેદન આપ્યું તે બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ થઈ રહી છે. આ બધા વચ્ચે ના માત્ર પરષોત્તમ રૂપાલાનો પરંતુ ભાજપનો પણ વિરોધ ધીરે ધીરે શરૂ થઈ ગયો છે તેવું લાગી રહ્યું છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગામડે-ગામડે રુપાલાના બોયકોટના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે... સંમેલનો થઈ રહ્યાં છે.. એટલું જ નહીં રુપાલાના વિરોધનો અને આક્રોશને લઈને ભાજપના અન્ય નેતાઓ પર જનતાના આક્રોશનો ભોગ બની રહ્યાં છે.... 


રાજીનામું આપતા કહ્યું કે.... 

હજી સુધી ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હવે તો ભાજપમાંથી રાજીનામા પણ પડી રહ્યાં છે... અને એ પણ મોદી પરિવાર નામથી યોજાયેલી સભામાં ચાલુ સભાએ રાજીનામા પડી રહ્યાં છે.. અહીંયા વાત થઈ રહી છે બોટાદની જ્યાં પાળિયાદમાં મોદી પરિવારની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ભાજપના મહામંત્રી વિજયભાઈ ખાચરે રાજીનામુ આપ્યું છે.. ક્ષત્રિયોના સમર્થનમાં આવ્યા અને સમાજનો સાથ આપતા કહ્યું કે હું 17 વર્ષનો હતો જ્યારે પ્રથમ વોટનો અધિકાર નહોતો ત્યારથી ભાજપમાં જોડાયેલો છું.. 20 વર્ષથી ભાજપ માટે કામ કરું છું.. પણ રુપાલાએ જે ટિપ્પણી કરી તેના કારણે મારો સમાજ આહત થયો છે..અને એટલે હું રાજીનામુ આપુ છું...  


આ વિવાદ શાંત થાય તે માટે કરાઈ રહ્યા છે અનેક પ્રયાસ 

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એક તરફ રાજકીય પક્ષો પોતપોતાના ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે અન્ય વહીવટી તંત્ર પણ મતદારોને મતદાન અંગે જાગ્રત કરવામાં વ્યસ્ત છે. મતદાનની ટકાવારી વધારવા માટે વહીવટી તંત્ર સતત નવતર પ્રયાસો કરી રહ્યું છે, આ બધાની વચ્ચે હવે વિરોધ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.