પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વિવાદ શાંત કરવા ભાજપનો પ્રયાસ! અમદાવાદમાં મળશે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-03 11:07:20

છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ ઉઠી છે. ક્ષત્રિય સમાજને લઈ કરવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. છેડાયેલા વિવાદને શાંત પાડવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થવાનું નામ નથી લઈ રહી. આ બધા વચ્ચે ભાજપના નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થવાની છે આજે અમદાવાદ ખાતે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ક્ષત્રિય સમાજના 90થી વધારે આગેવાનો ઉપસ્થિત હોઈ શકે છે. જેમાં મહિલાઓ પણ સામેલ હશે તેવી માહિતી સામે આવી છે.      


ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને મળી હતી બેઠક  

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારનો વિરોધ પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ઉમેદવારને હટાવવાની માગ કાર્યકર્તાઓ કરી રહ્યા છે તો ક્યાંય સમાજના લોકો લોકસભા બેઠકના ઉમેદવારને બદલવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ લોકસભા બેઠકની. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે ઉમેદવાર બદલવામાં આવે. વિરોધ શાંત થવાની બદલીમાં વધી રહ્યો છે. વિરોધને ડામવા માટે ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી તેમજ અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 



આજે થવાની છે ભાજપના નેતા તેમજ સમાજના અગ્રણી વચ્ચે બેઠક 

બેઠક બાદ સી.આર.પાટીલે પત્રકાર પરિષદ પણ કરી હતી જેમાં ક્ષત્રિય સમાજની હાથ જોડીને માફી માગી હતી. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અનેક વખત ક્ષત્રિય સમાજની માફી માગી ચૂક્યા છે પરંતુ તે બાદ પણ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ બધા વચ્ચે આજે ભાજપના નેતાઓની ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક થવાની છે. બપોરના સમયે આ બેઠક થવાની છે અમદાવાદના ગોતા ખાતે.. આ બેઠકમાં સમાજના અગ્રણીઓ હાજર હશે. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજને લઈ કરવામાં આવેલા નિવેદન પર રાજ્ય ચૂંટણી આયોગે  ક્લિન ચીટ આપી છે. ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન મામલે હવે રૂપાલાને ક્લિનચીટ મળી ગઇ છે. 


ભાજપના નેતાઓ સાથે બેઠક થાય તે પહેલા સમાજની કોર કમિટીની મિટીંગ  

મહત્વનું છે ભાજપના નેતાઓ સાથે બેઠક થાય તે પહેલા રાજપૂત સમાજની કોર કમિટીની મિટીંગ થવાની છે. અને આ મિટીંગ બાદ ભાજપના આગેવાનો સાથે બેઠક થવાની છે. આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલા આજે દિલ્હી છે... ત્યારે સૌ કોઈની નજર ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે થનારી બેઠક પર રહેલી છે.... 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.