Parliament Session : રાજ્યસભામાં PM Modiએ પેપર લીક, મણિપુર જેવા મુદ્દાઓ પર વાત કરી, વિપક્ષનું વોકઆઉટ.. જાણો આજે શું થયું રાજ્યસભામાં?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-03 16:18:12

ગઈકાલે પીએમ મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ભાષણ આપ્યું હતું. અનેક મુદ્દાઓને લઈ તેમણે વાત કરી હતી. રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે પ્રહાર કર્યા હતા તે ઉપરાંત અનેક એવા મુદ્દાઓ હતા જેને લઈ તેમણે વાત કરી હતી. પીએમ મોદી જ્યારે આ અંગે વાત કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ દ્વારા મણિપુરને ન્યાય આપો તેવા નારા લગાવવામાં આવ્યા.ત્યારે આજે પીએમ મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર વક્તવ્ય આપ્યું છે .

 

પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષે કર્યું વોકઆઉટ

રાજ્યસભામાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી. જ્યારે પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે  INDI ગઠબંધનના નેતાઓએ નારેબાજી કરવાનો પ્રયાસ કર્યો. આ પછી વિરોધ પક્ષના નેતાએ બોલવાની મંજૂરી માંગી , જોકે મંજૂરી ના અપાતા INDIAllianceએ વોક આઉટ કર્યું હતું. વિપક્ષના વોકઆઉટને લઈ તેમણે કહ્યું કે જવાબ સાંભળવાની હિંમત નથી. તે સિવાય તેમણે પોતાની સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અમે જેટલું કામ કર્યું છે તેટલું કામ જો કોંગ્રેસે કર્યું હોત તો વીસ વર્ષ વીતિ જતા.  

મણિપુર તેમજ પેપરલીકને લઈ વાત કરી. 

રાજ્યસભામાં મણિપુરને લઈ તેમણે વાત કરી હતી. મણિપુર અંગે વાત કરતા તેમણે કહ્યું કે સ્થિતિ સામાન્ય કરવા માટે સરકાર નિરંતર પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું કે સ્વીકાર કરવો પડશે કે મણિપુરમાં હિંસાની ઘટનાઓ ઓછી થઈ રહી છે... તે સિવાય તેમણે પેપરલીકને લઈ પણ નિવેદન આપ્યું હતું. 



પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષે કર્યો હતો સૂત્રોચ્ચાર

રાજ્યસભામાં પણ વિપક્ષ આક્રમકઃ મોડમાં છે. PM મોદીના ચાલુ ભાષણ વચ્ચે સતત સુત્રોચાર ચાલુ હતો. આ પછી કોંગ્રેસ ના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ચેરમેન જગદીપ ધનખડની પાસે બોલવાની અનુમતિ માંગી પણ આ અનુમતિ ના અપાતા , સમગ્ર વિપક્ષે વોલ્કઆઉટ કર્યો હતો અને જ્યારે વિપક્ષે walkout કર્યું હતું. ત્યારે પીએમ મોદીના ભાષણ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.  



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.