Parliament Security Breach : સંસદમાં હુમલાના માસ્ટર માઈન્ડ Lalit Jhaએ Delhi Police સમક્ષ કર્યું Surrender


  • Published By :
  • Published Date : 2023-12-15 09:53:15

થોડા દિવસ પહેલા લોકસભાની કાર્યવાહી દરમિયાન બે લોકો ઘૂસી આવ્યા હતા. આ ઘટના બાદ વિપક્ષી સાંસદોએ હંગામો કર્યો હતો. આ ઘટના બાદ લોકસભા સચિવાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીના ભાગ રૂપે 8 કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. સંસદમાં ઘૂસણખોરી કરવા મામલે માસ્ટરમાઈંડ લલિત ઝાએ દિલ્હી પોલીસમાં સામે ચાલીને સરેન્ડર કર્યું છે.  14 ડિસેમ્બરે તે પોતાના સાથી સાથે કર્તવ્ય પથ પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે જ્યારે સંસદમાં હુમલો થયો ત્યારે લલિત ઝા ત્યાં હાજર હતો.

    

સંસદમાં હુમલો કરનાર લોકોના રિમાન્ડ કરાયા મંજુર 

સંસદને સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે પરંતુ થોડા દિવસ પહેલા સંસદમાં થયેલી સુરક્ષા ચૂકને લઈ સાંસદોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. સંસદમાં અચાનક બે વ્યક્તિ ઘૂસી આવ્યા હતા અને સ્પ્રે ગનથી હુમલો કર્યો. બાદમાં આ બંને આરોપીઓને સાંસદોએ જ પકડી પાડ્યા હતા. તે ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં આરોપીઓની ઘૂલાઈ કરી હતી. સંસદની બહાર મહિલા નારેબાજી કરી રહી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનાને પગલે ચારેય હુમલાખોરોને પકડી પાડવામાં આવ્યા છે, તેમની રિમાન્ડ માટે પોલીસે અરજી કરી હતી, કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો જરૂર પડશે તો આ રિમાન્ડને વધારવામાં આવશે. 


માસ્ટર માઈન્ડે પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર 

આરોપીઓ તો પકડમાં આવી ગયા પરંતુ માસ્ટર માઈન્ડ પકડની બહાર હતો. તેની શોધખોળ ચાલી રહી હતી પરંતુ આ પ્લાનના માસ્ટર માઈન્ડે સામે ચાલીને સરેન્ડર કર્યું છે. બે દિવસથી ફરાર લલિત ઝાએ કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસ લલિતની પૂછપરછ કરી રહી છે તેવી માહિતી સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં 6 ઓરોપીઓ પોલીસની પકડમાં છે એવી માહિતી સામે આવી છે. આની પહેલા પકડાયેલા આરોપીઓને યુએપીએ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. સાગર, અનમોલ, મનોરંજન અને નીલમ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. આ કેસની તપાસની માટે સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે. આ ઘટના બાદ વિપક્ષી સાંસદોએ બંને સંસદમાં ભારે હોબાળો કર્યો હતો. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.