ચોમાસુ સત્રનો 17 જુલાઈથી પ્રારંભ, નવા સંસદ ભવનમાં યોજાશે પ્રથમ સત્ર, આ મુદ્દે સંસદમાં થઈ શકે હોબાળો


  • Published By :
  • Published Date : 2023-06-28 15:22:54

સંસદનું ચોમાસુ સત્ર જુલાઈના ત્રીજા સપ્તાહમાં શરૂ થઈ શકે છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ  (CCPA) બેઠક આગામી કેટલાક દિવસોમાં યોજાશે, જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ CCPAની બેઠકની અધ્યક્ષતા કરશે.  આ બેઠકમાં ચોમાસુ સત્રની તારીખ અંગે ચર્ચા થશે.જો કે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોમાસુ સત્રનો પ્રારંભ 17 જુલાઈથી થઈ શકે છે અને તે 10 ઓગસ્ટ સુધી ચાલુ રહી શકે છે.


વટહુકમ મામલે થશે હોબાળો


સંસદના ચોમાસુ સત્રમાં આ વખતે પણ જોરદાર હંગામો થાય તેવી શક્યતા છે. દિલ્હીમાં કોની સત્તા ચાલશે તે મામલે કેજરીવાલ સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી જતા કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને ઉલટાવવા માટે આ વટહુકમ લાવી છે. આ વટહુકમ પર ચોમાસુ સત્રમાં ચર્ચા થવાની છે. વટહુકમમાં કેન્દ્ર સરકારે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરવાની વાત કરી છે. મોદી સરકાર દ્વારા સંસદમાં લાવવામાં આવેલા વટહુકમને વિરોધ પક્ષોના જોરદાર વિરોધનો સામનો કરવો પડશે. આ મુદ્દે તમામ વિપક્ષે કેજરીવાલને સમર્થન આપ્યું છે. 


યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે થશે હંગામો


મોદી સરકારે સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) બિલ પણ ચોમાસુ સત્રમાં લાવવાની યોજના બનાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમાન નાગરિક સંહિતા અંગે આપવામાં આવેલા નિવેદન પર સંસદના ચોમાસુ સત્રમાં હોબાળો થઈ શકે છે. ગઈ કાલે મંગળવારે ભોપાલમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે PM મોદીએ કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડના નામે કેટલાક લોકો મુસ્લિમ ભાઈ-બહેનોને ઉશ્કેરી રહ્યા છે.  


નવા સંસદ ભવનમાં પ્રથમ સત્ર


ચોમાસુ સત્રની એક વિશેષતા એ પણ હશે કે નવા સંસદભવનમાં આયોજિત થનારું આ પ્રથમ સત્ર હશે. નવું સંસદ ભવન તેની યજમાની માટે તૈયાર છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઇમારત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે. નવા સંસદ ભવનમાં તમામ મંત્રીઓને અલગ-અલગ ઓફિસ મળશે, જ્યારે જૂના બિલ્ડિંગમાં માત્ર 30 કેબિનેટ મંત્રીઓ અને કેટલાક રાજ્ય મંત્રીઓને ઓફિસ મળી છે. આ સાથે નવા બિલ્ડીંગમાં તમામ રાજકીય પક્ષોને ઓફિસ પણ આપવામાં આવશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!