પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 25 સપ્ટેમ્બરે સાત ફેરા લેશે, આ જગ્યાએ લગ્નના ઢોલ ઢબૂકશે


  • Published By :
  • Published Date : 2023-08-20 12:41:24

પરિણીતી ચોપરાના ચાહકો જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને 25 સપ્ટેમ્બરના રોજ લગ્ન કરશે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ 13 મે 2023ના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. હવે આ વર્ષે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે.


શાનદાર લગ્ન સમારોહ યોજાશે


એક સુત્રએ જણાવ્યું છે કે આ એક શાનદાર લગ્ન સમારોહ હશે. પરિણીતી ચોપરાની ટીમે લગ્નની તૈયારીઓ પર કામ શરૂ કરી દીધું છે. અભિનેત્રી તેના લગ્ન અંગેની કોઈ પણ વિગત કોઈની સાથે શેર કરી રહી નથી. તેણે બધું જ ગુપ્ત રાખ્યું છે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના પરિવારો તથા નજીકના મિત્રોની હાજરીમાં લગ્નની તમામ વિધિઓ સંપન્ન થશે.


પરિણીતી-રાઘવ રાજસ્થાનમાં લગ્ન કરશે


સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે પરિણીતી ચોપરા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેના લગ્નની તૈયારી કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન રાજસ્થાનમાં થશે. આ પછી ગુરુગ્રામમાં રિસેપ્શન યોજાશે. જ્યારે એ આ વિશે પરિણીતીનો સંપર્ક કર્યો, ત્યારે તેણી તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.



તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્તાલિને બજેટ દરમ્યાન "₹"ના સિમ્બોલને બદલવાની જાહેરાત કરી છે . તેની જગ્યાએ તેમણે તમિલ ભાષાના શબ્દ "રુબિયા"નો પેહલો શબ્દ "ரூ"લેવાની જાહેરાત કરી છે . આવતા વર્ષે ૨૦૨૬માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તેને લઇને સત્તાધારી પક્ષ ડીએમકે "ઉત્તર"ની વિરુદ્ધમાં "દક્ષિણ" કરવાનો પ્રયાસ કરી રહી છે . કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પાર્ટીનો તમિલનાડુમાં પ્રભાવ વધી રહ્યો છે જેને લઇને ડીએમકે ચિંતિત છે .

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.