પરિણીતી ચોપરાએ મંગેતર રાઘવ ચઢ્ઢા સાથે સુવર્ણ મંદિરમાં આપી સેવા, લંગરમાં ભોજન પીરસ્યું, વાસણ ધોયા


  • Published By :
  • Published Date : 2023-07-02 16:32:38

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ શનિવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં મંદિરમાં માથું ટેકવ્યું હતું. યુગલ લગ્ન પહેલા આશીર્વાદ લેવા સુવર્ણ મંદિર પહોંચ્યું હતું. હવે આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ગુરુદ્વારામાં સેવા કરતા જોવા મળી રહ્યા છે. પરિણીતી અને રાઘવ એકસાથે વાસણ ધોતા જોવા મળે છે. આવો અમે તમને આ વીડિયો પણ બતાવીએ.


ફેન્સે પરિણીતીની કરી પ્રશંસા


સુવર્ણ મંદિરમાંથી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનો વીડિયો સામે આવ્યો છે. માથું ટેકવ્યું તે પહેલાં, રાઘવ ચઢ્ઢા અને પરિણીતીએ લંગરમાં સેવા આપી અને પીરસ્યું અને શ્રધ્ધાળુંઓના એંઠા વાસણો ધોયા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સ પરિણીતી ચોપરાનો વીડિયો જોઈને તેના વખાણ કરી રહ્યા છે.  


રાઘવ ચઢ્ઢાએ પણ ટ્વિટ કર્યું 


રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પરિણીતી સાથેની આ તસવીરો શેર કરી છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે, "પવિત્ર ભજન અને શાંતિ વચ્ચે, મેં મારી આંખો બંધ કરી, માથું ટેકવ્યું અને પ્રાર્થના કરી. મારી સાથે પરિણીતી ચોપરાનું હોવું વધુ ખાસ હતું. અમૃતસરમાં સચખંડ શ્રી હરમંદિર સાહિબ જીમાં આશીર્વાદ મેળવીને આજે ધન્યતા અનુભવી".



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.