પરેશ રાવલને બફાટ કરવો ભારે પડ્યો, બંગાળ પોલીસે “હુલ્લડ માટે ઉશ્કેરવા”ના આરોપ સાથે સમન્સ પાઠવ્યું


  • Published By :
  • Published Date : 2022-12-06 20:10:55

બોલિવુડ અભિનેતા પરેશ રાવલને વલસાડમાં એક ચૂંટણીસભામાં બફાટ કરવો ભારે પડી રહ્યો છે. બંગાળીઓ માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને લઈ પરેશ રાવલે ટ્વીટર પર માફી માંગી હોવા છતાં પણ તેમની મુશ્કેલી વધી રહી છે. આજે કોલકાતા પોલીસે મંગળવારે અભિનેતા-રાજકારણી પરેશ રાવલને તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ નોટિસ ફટકારી છે. આજે 12 ડિસેમ્બરે આપેલી આ નોટિસમાં તેમને પોલીસ સમક્ષ હાજર થવાનું જણાવવામાં આવ્યું છે. CPI (M)ના નેતા અને પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમની ફરિયાદ બાદ પોલીસે રાવલ સામે તેમની ટિપ્પણીને લઈ ગુનો નોંધ્યો છે, તેમણે પરેશ રાવલ પર “હુલ્લડ માટે ઉશ્કેરવા” અને “બંગાળી સમુદાય અને સમગ્ર  દેશમાં અન્ય સમુદાયો વચ્ચે સંવાદિતા નષ્ટ કરવા માટે ભાષણ આપવાનો આરોપ મુક્યો છે."


CPI (M)ના નેતાએ પોલીસ ફરીયાદ કરી


CPI (M)ના નેતા સલીમે 1 ડિસેમ્બરના રોજ તાલતાલા પોલીસ સ્ટેશનમાં રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા પછી, ભારતીય દંડ સંહિતાની કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદાથી ઉશ્કેરણીજનક ભાષણ), 153A (જે કોઈ પણ ઈરાદાપૂર્વક અથવા અનિચ્છનીય રીતે કોઈ હુલ્લડ કરાવવા અથવા ઉશ્કેરવા), 153B (અભિયોગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો. , રાષ્ટ્રીય એકતા માટે પ્રતિકૂળ નિવેદનો), અને કલમ 504 (શાંતિ ભંગને ઉશ્કેરવાના ઉદ્દેશ્ય સાથે ઇરાદાપૂર્વકનું હિત) અને 505 (બદઈરાદાના ઉદ્દેશ્ય સાથે અથવા જેનું કારણ બની શકે છે) મુજબ ફરિયાદ નોંધાઈ છે.


પરેશ રાવલે શું ભાષણ કર્યું હતું?


ગુજરાતના વલસાડમાં એક રેલીમાં ભાષણ આપતા પરેશ રાવલે કહ્યું હતું કે, “ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેની કિંમત ઓછી થશે. લોકોને રોજગારી પણ મળશે. પરંતુ જો રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓ અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવા લાગે તો શું થશે? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો?" જો કે પરેશ રાવલે તેમનું ભાષણ વાયરલ થયા બાદ અને તેની ટીકા થયા બાદ માફી માંગી હતી.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.