પરેશ રાવલને બફાટ કરવો ભારે પડ્યો, બંગાળ પોલીસે “હુલ્લડ માટે ઉશ્કેરવા”ના આરોપ સાથે સમન્સ પાઠવ્યું


  • Published By :
  • Published Date : 2022-12-06 20:10:55

બોલિવુડ અભિનેતા પરેશ રાવલને વલસાડમાં એક ચૂંટણીસભામાં બફાટ કરવો ભારે પડી રહ્યો છે. બંગાળીઓ માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને લઈ પરેશ રાવલે ટ્વીટર પર માફી માંગી હોવા છતાં પણ તેમની મુશ્કેલી વધી રહી છે. આજે કોલકાતા પોલીસે મંગળવારે અભિનેતા-રાજકારણી પરેશ રાવલને તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ નોટિસ ફટકારી છે. આજે 12 ડિસેમ્બરે આપેલી આ નોટિસમાં તેમને પોલીસ સમક્ષ હાજર થવાનું જણાવવામાં આવ્યું છે. CPI (M)ના નેતા અને પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમની ફરિયાદ બાદ પોલીસે રાવલ સામે તેમની ટિપ્પણીને લઈ ગુનો નોંધ્યો છે, તેમણે પરેશ રાવલ પર “હુલ્લડ માટે ઉશ્કેરવા” અને “બંગાળી સમુદાય અને સમગ્ર  દેશમાં અન્ય સમુદાયો વચ્ચે સંવાદિતા નષ્ટ કરવા માટે ભાષણ આપવાનો આરોપ મુક્યો છે."


CPI (M)ના નેતાએ પોલીસ ફરીયાદ કરી


CPI (M)ના નેતા સલીમે 1 ડિસેમ્બરના રોજ તાલતાલા પોલીસ સ્ટેશનમાં રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા પછી, ભારતીય દંડ સંહિતાની કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદાથી ઉશ્કેરણીજનક ભાષણ), 153A (જે કોઈ પણ ઈરાદાપૂર્વક અથવા અનિચ્છનીય રીતે કોઈ હુલ્લડ કરાવવા અથવા ઉશ્કેરવા), 153B (અભિયોગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો. , રાષ્ટ્રીય એકતા માટે પ્રતિકૂળ નિવેદનો), અને કલમ 504 (શાંતિ ભંગને ઉશ્કેરવાના ઉદ્દેશ્ય સાથે ઇરાદાપૂર્વકનું હિત) અને 505 (બદઈરાદાના ઉદ્દેશ્ય સાથે અથવા જેનું કારણ બની શકે છે) મુજબ ફરિયાદ નોંધાઈ છે.


પરેશ રાવલે શું ભાષણ કર્યું હતું?


ગુજરાતના વલસાડમાં એક રેલીમાં ભાષણ આપતા પરેશ રાવલે કહ્યું હતું કે, “ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેની કિંમત ઓછી થશે. લોકોને રોજગારી પણ મળશે. પરંતુ જો રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓ અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવા લાગે તો શું થશે? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો?" જો કે પરેશ રાવલે તેમનું ભાષણ વાયરલ થયા બાદ અને તેની ટીકા થયા બાદ માફી માંગી હતી.




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.