Paresh Dhananiએ ફરી કરી કવિતા શેર. ક્ષત્રાણીઓને કરી આ અપીલ, જાણો શું લખ્યું કવિતામાં?


  • Published By :
  • Published Date : 2024-04-05 18:41:07

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ વિવાદને શાંત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ ખાતે બેઠકનું આયોજન પણ થયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. વિવાદ શાંત થશે તેવું લાગતું હતું પરંતુ તે વિવાદ શાંત થવાની બદલીમાં વધારે ઉગ્ર બની રહ્યો છે તેવું લાગે છે.. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની વાત કરવામાં આવી છે. તે વીડિયોને પોસ્ટ કરી કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એક ટ્વિટ કરી છે જેમાં તે મહિલાઓને શાંત રહેવા માટે અપીલ કરી રહ્યા છે. 


પરેશ ધાનાણીએ કવિતા શેર કરી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કવિતા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અનેક  રાજનેતાઓ દ્વારા કવિતા પોસ્ટ કરવામાં આવી રહી છે જેમાં કટાક્ષ કરવામાં આવતો હોય. ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કવિતા રૂપી કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. એકબીજા પર પાર્ટી પ્રહાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે પરેશ ધાનાણીએ ફરી એક વખત કવિતા ટ્વિટ કરી છે. આ વખતે કવિતામાં કટાક્ષ નહીં પરંતુ એક વિનંતી પરેશ ધાનાણીએ કરી છે તેવું લાગે છે...



ટ્વિટર પર પરેશ ધાનાણીએ કવિતા શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે


 ""હૈ શક્તિ, તમે શાંત રહેજો.. ""

જ્યારે જ્યારે રાજ ના દરબારમાં.

દેવી દ્રૌપદી ના "દામન" દુભાય છે,


ત્યારે ત્યારે હંમેશા મહાભારતના 

યુદ્ધો થાય છે...!


અઢારેય વર્ણ, હવે એક સુર થઈએ

બેન-દીકરીઓની લાજ બચાવીએ,


નવા 'મહાભારત' પર રોક લગાવીએ

આપણા 'ભારત'ને મહાન બનાવીએ... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.