પરેશ ધાનાણીએ અમરેલી સીટ માટે મહાદેવની પૂજા કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું


  • Published By :
  • Published Date : 2022-11-14 13:58:42


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઉમેદવારો હવે ઉમેદવારી ફોર્મ ફરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ, આપ અને કોંગ્રેસના નેતાઓએ આજે ફોર્મ ભર્યા હતા. જેમ કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના લોકપ્રિય નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ આજે તેમનું ફોર્મ ભર્યું હતું. પરેશ ધાનાણી એક્ટિવા પર ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. તેમણે નાગનાથ મહાદેવના દર્શન કરી અહીં ખાસ પૂજન અર્ચન કર્યા હતા. 


પરેશ ધાનાણીએ અમરેલી સીટ માટે ફોર્મ ભર્યું


પરેશ ધાનાણી અમરેલી સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર સતત 2 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે. જો કે પરેશ ધાનાણીએ તેમની જીતને લઈ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરેશ ધાનાણીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમના પત્ની સાથે નાગનાથ મહાદેવના મંદિરે પહોંચી ફૂલોનો અભિષેક કરી ખાસ પૂજન અર્ચન કર્યું હતું. 


અમરેલી સીટ પર ત્રિપાંખિયો જંગ


અમરેલી બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયા સામે પરેશ ધાનાણીની પહેલીવાર ટક્કર થવા જઈ રહી છે. ત્યારે હવે સતત બે ટર્મથી ભાજપ આ બેઠકને જીતવા મથામણ કરી રહ્યું છે. ત્યારે કૌશિક વેકરિયાની એન્ટ્રી પાર્ટીને કેટલી ફળશે એ જોવા જેવું રહ્યું. વળી પરેશ ધાનાણીની વાત કરીએ તો તેઓ ભાજપના દિગ્ગજ નેતાઓ એવા પરસોત્તમ રૂપાલા, દીલીપ સાંઘાણી અને બાવકુ ઉંઘાડને પરાજીત કરી ચૂક્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે ત્યારે મતોનું વિભાજન કરશે. આ મતોની અસર કયા પક્ષ પર પડશે તે મતદારો નક્કી કરશે અને પરિણામમાં તેની અસર જોવા મળશે.



લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..