પરેશ ધાનાણીએ અમરેલી સીટ માટે મહાદેવની પૂજા કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું


  • Published By :
  • Published Date : 2022-11-14 13:58:42


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઉમેદવારો હવે ઉમેદવારી ફોર્મ ફરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ, આપ અને કોંગ્રેસના નેતાઓએ આજે ફોર્મ ભર્યા હતા. જેમ કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના લોકપ્રિય નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ આજે તેમનું ફોર્મ ભર્યું હતું. પરેશ ધાનાણી એક્ટિવા પર ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. તેમણે નાગનાથ મહાદેવના દર્શન કરી અહીં ખાસ પૂજન અર્ચન કર્યા હતા. 


પરેશ ધાનાણીએ અમરેલી સીટ માટે ફોર્મ ભર્યું


પરેશ ધાનાણી અમરેલી સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર સતત 2 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે. જો કે પરેશ ધાનાણીએ તેમની જીતને લઈ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરેશ ધાનાણીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમના પત્ની સાથે નાગનાથ મહાદેવના મંદિરે પહોંચી ફૂલોનો અભિષેક કરી ખાસ પૂજન અર્ચન કર્યું હતું. 


અમરેલી સીટ પર ત્રિપાંખિયો જંગ


અમરેલી બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયા સામે પરેશ ધાનાણીની પહેલીવાર ટક્કર થવા જઈ રહી છે. ત્યારે હવે સતત બે ટર્મથી ભાજપ આ બેઠકને જીતવા મથામણ કરી રહ્યું છે. ત્યારે કૌશિક વેકરિયાની એન્ટ્રી પાર્ટીને કેટલી ફળશે એ જોવા જેવું રહ્યું. વળી પરેશ ધાનાણીની વાત કરીએ તો તેઓ ભાજપના દિગ્ગજ નેતાઓ એવા પરસોત્તમ રૂપાલા, દીલીપ સાંઘાણી અને બાવકુ ઉંઘાડને પરાજીત કરી ચૂક્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે ત્યારે મતોનું વિભાજન કરશે. આ મતોની અસર કયા પક્ષ પર પડશે તે મતદારો નક્કી કરશે અને પરિણામમાં તેની અસર જોવા મળશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.