સરકારી નોકરી જવાના ડરથી રાજસ્થાનમાં માતા-પિતાએ કરી માસુમની હત્યા


  • Published By :
  • Published Date : 2023-01-24 15:01:29

સરકાર એક તરફ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવી રહી છે. તો બીજી તરફ રાજસ્થાનના બિકાનેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સરકારી નોકરી જતી ન રહે તે માટે માતા-પિતાએ દીકરીને કેનાલમાં ફેંકી દીધી છે. કોન્ટ્રેક્ટ પર મળેલી સરકારી નોકરી બચાવવા માટે માતા-પિતાએ આ પગલું ભર્યું છે. અંશિકા ઉર્ફે અંશુની હત્યા કરનાર માતા-પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. 

પોલીસે માતા-પિતા બંનેની ધરપકડ કરી છે.


સરકારી નોકરી ન જાય તે માટે પુત્રીની કરી હત્યા 

આ આઘાત જનક ઘટના બિકાનેરના છત્તરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. એક દંપતીએ પોતાની સરકારી નોકરી ન જાય તે માટે 5 મહિનાની દીકરીને નહેરમાં ફેંકી દીધી હતી. ઝંવરલાલ ચાંદસર ગામમાં શાળા સહાયક તરીકે કોન્ટ્રેક્ટ પર કામ કરે છે. 


પોલીસે માતા-પિતાની કરી ધરપકડ 

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનામાં બાળકની માતા પણ સામેલ હતી. આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું હતું કે એક મહિલા અને પુરુષ બાઈક પર આવ્યા હતા. કેનાલ પાસે આવતાં જ તેઓએ બાળકીને કલ્વર્ટ ઉપરથી નીચે ફેંકી દીધી હતી. બાળકીને ફેંક્યા બાદ કોઈએ પાછું વળીને જોયું પણ નહીં. ઉપરાંત બાઈકની સ્પીડ વધારીને જતા રહ્યા. બાળકીને બચાવવા અનેક યુવકો નીચે કૂદયા. બાળકીને બહાર કાઢી પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતું.         




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.