તથ્ય પટેલ કાંડમાંથી વાલીઓ ન શીખ્યા! Social Media પર વાયરલ થયા નાની ઉંમરના બાળકોના વાહન ચલાવતા વીડિયો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-09 14:55:43

તથ્ય પટેલ કાંડ બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં નાના બાળકો વાહન ચલાવતા દેખાય છે. કોઈ વીડિયોમાં લોકો સ્ટંટ કરતા દેખાય છે તો કોઈ વીડિયોમાં એક જ વાહન પર 6 લોકો સવાર થતાં દેખાય છે. અનેક એવા કિસ્સાઓ છે જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે લોકો સ્ટંટ કરતા દેખાય છે, નિયમોનું ઉલ્લંઘન, કાયદાનું ભંગ કરતા દેખાય છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર બાળકોને વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકના હાથમાં સ્ટેરિંગ છે અને પાછળ વડીલ બેઠા છે. તે પહેલા પણ એક આવો જ વીડિયો વાયરલ થયો હતો જેમાં નાના બાળકો વાહન ચલાવતા દેખાય છે. 

નાના બાળકના હાથમાં જોવા મળ્યું એક્ટિવાનું સ્ટેરિંગ 

એક્સીડન્ટમાં અનેક લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા હશે. અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા હશે. થોડા સમય પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક નબીરાએ 10 નિર્દોષ લોકોના જીવ લઈ લીધા હતા. અકસ્માત બાદ અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકો દ્વારા ભયંકર સ્ટેટ કરવામાં આવતા હોય છે, નાના બાળકોને વાહનની ચાવી આપી દેવામાં આવતી હોય છે. નાના બાળકો જ્યારે વાહનનું સ્ટેરિંગ પોતાના હાથમાં લે છે ત્યારે જાણતા અજાણતા તે પોતાના જીવનને તો જોખમમાં મૂકે છે પરંતુ સાથે સાથે તે બીજા લોકોના જીવને પણ જોખમમાં નાખે છે. તથ્ય કાંડ બાદ સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેને જોઈ આપણને એક પ્રશ્ન થાય કે શું આ લોકોને રસ્તો પોતાના બાપનો લાગે છે?  

ઝડપની મજા અનેક લોકો માટે મોતની સજા બનતી હોય છે

તથ્ય કાંડ વખતે પણ અમે કહેતા હતા કે જો નાની ઉંમરે બાળકોને ચાવી આપી દેશો તો બાળક તો દોષિ છે પરંતુ તેમના કરતા વધારે દોષિ તેમના માતા પિતા છે. કારણ કે માતા પિતાના વ્હાલને કારણે, તેમના બાળકને કોઈ અગવડ ન પડે તે માટે બાળકની મુખ્યત્વે દરેક જીદ્દ પૂરી પાડવામાં આવે છે. પરંતુ તેમના પ્રેમની કિંમત કોઈ બીજા પરિવારના સભ્યોને ચૂકવવી પડે તે યોગ્ય નથી? જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો તે ભવિષ્યમાં તથ્ય પટેલ બની શકે છે. જો આ બાળકોથી અકસ્માત થાય તો જવાબદાર કોણ?    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.