રોટલી પર 5% જ્યારે પરાઠા પર 18% GST લાગશે, ગુજરાત AARએ આપ્યું આ કારણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:52:37

થોડા દિવસ પહેલા પાપડ પર GSTને લઈ વિવાદ સર્જાયો હતો. હવે પરાઠાના મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR)ની ગુજરાત બેંચે પરાઠા પર 18 ટકા  GST લાગશે તેવો ચુકાદો સંભળાવ્યો છે. 


પરાઠા પર 18% GST, રોટલી પર માત્ર 5%


અત્રે ઉલ્લેખનિય છે કે રોટલી 5 ટકા  GST સ્લેબમાં આવે છે. પરંતું પરાઠા  18 ટકાના સ્લેબમાં આવે છે. જેના કારણે નવો વિવાદ સર્જાયો છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR)ની ગુજરાત બેંચે એ સ્પષ્ટ કર્યું કે રેડી ટુ કુક પરાઠા પર 18 ટકાના રેટથી GST લાગશે. ગુજરાત એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAAR)એ જણાવ્યું છે કે પરાઠા સાદી રોટલી કરતાં અલગ હોવાથી પરાઠા પર લગાવવામાં આવેલો 18 ટકા જીએસટી યોગ્ય છે.


અરજદાર વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝની દલીલ શું હતી?


બ્રાન્ડેડ પરાઠા બનાવતી ગુજરાતની જાણીતી કંપની વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝે દલીલ કરી હતી કે તમામ પ્રકારના પરાઠા, ખાખરા પર રોટલીની જેમ જ 5 ટકા GST લગાવવો જોઈએ. કેમ કે રોટલી અને પરાઠામાં બહું સામ્યતા છે. વળી પરાઠાને બનાવવાની પ્રક્રિયાથી માંડીને તેના ઉપયોગ કરવાની પ્રોસેસ બિલકુલ એક સમાન જ છે. પોતાની દલીલને મજબુત બનાવવા માટે વાડીલાલે અનેક સંદર્ભગ્રંથો, શબ્દકોશ અને વિકિપીડિયાથી ‘પરાઠા ’ શબ્દની પરિભાષા આપી પણ આપી હતી.


ગુજરાત AARએ શું ચુકાદો સંભળાવ્યો?


વાડીલાલની દલીલો સાંભળ્યા પછી, ગુજરાત AARએ કહ્યું કે ખાખરા, સાદી રોટલી રાંધવામાં આવી હશે અને તેને ખાવા માટે ફરીથી રાંધવાની જરૂર નથી, અને તે ખાવા માટે તૈયાર હોય છે. બીજી તરફ, કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા 'પરાઠા' માત્ર તેમનાથી અલગ નથી, પરંતુ તેને ખાદ્ય બનાવવા માટે વધુ પ્રક્રિયાની જરૂર પડે છે. મતલબ કે રોટલી ખાવા માટે તૈયાર (Ready To Eat) છે, જ્યારે પરાઠા રાંધવા માટે તૈયાર (Ready To Cook) છે.



ઓથોરિટીએ કહ્યું કે વાડીલાલે તેના પેકેટ પર લખેલી સૂચનાઓમાં લખ્યું છે કે તેને 3 થી 4 મિનિટ સુધી મધ્યમ આંચ પર ગરમ કરો. ઉપરાંત, પરાઠાને ગરમ કરતી વખતે તેમાં તેલ અથવા માખણ નાખો જેથી તે વધુ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને. ઓથોરિટીએ લોટની રચનાના આધારે રોટલી અને પરાઠા વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ કર્યો છે. પરાઠામાં લોટની માત્રા 36 થી 62 ટકા સુધી હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ કર્ણાટક ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR) એ પણ પરાઠા પર 18% GST લગાવવાનો ચુકાદો આપ્યો હતો.



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.