ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ ફેઈમ ગુજરાતી કોમેડિયન પરાગ કંસારાની ચિરવિદાય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 15:05:07

ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જથી જાણીતા થયેલા લોકપ્રિય કોમેડિયન પરાગ કંસારાનું નિધન થયું છે. વિખ્યાત કોમેડિયન સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે. કોમેડિયન સુનીલ પાલે પરાગ કંસારાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 


પરાગ કંસારાની વિદાયથી વિખ્યાત કોમેડિયન સુનીલ પાલ ભાવુક થયા


બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ બાદ વધુ એક કોમેડિયન પરાગ કંસારાએ વિદાય લીધી છે. પરાગ કંસારાના નિધનના સમાચાર કોમેડીના ક્ષેત્ર માટે ચોંકાવનારા છે. પરાગ કંસારાના મૃત્યુથી વિખ્યાત કોમેડિયન સુનીલ પાલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ભાવુક થઈ ગયા હતા, તેમણે કહ્યું કે, હેલો મિત્રો, અમારા લેફ્ટ ચેલેન્જ પાર્ટનર પરાગ કંસારા જી હવે આ દુનિયામાં નથી. તેઓ દરેક વસ્તુની વિરુદ્ધ વિચાર કરો એમ કહીને તે અમને હસાવતા હતા. પરાગ ભૈયા હવે આ દુનિયામાં નથી. ખબર નથી કોને કોમેડીની દુનિયાની નજર લાગી ગઈ છે. અમે થોડા દિવસ પહેલા જ રાજુભાઈને ગુમાવ્યા હતા. આપણે એક પછી એક કોમેડીનો સ્તંભ ગુમાવી રહ્યા છીએ. 


કોમેડી ક્ષેત્રે પરાગ કંસારાની યાત્રા કેવી રહી ?


વડોદરાના વતની પરાગ કંસારા ટીવીના સુપરહિટ કોમેડી રિયાલિટી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા. આ શો શો ભારતીય ટેલિવિઝનનો પ્રથમ એવો શો હતો જેણે સ્ટેન્ડઅપ કોમેડિયનને એક મોટું પ્લેટફોર્મ આપવાનું કામ કર્યું હતું. આ શોએ નવા કોમેડિયનોને પણ પોતાની છાપ બનાવવાની તક આપી. આ શોથી પરાગને ઘરે-ઘરે ઓળખ મળી. જો કે પરાગ  કંસારા  ઘણા સમયથી ટીવી અને કોમેડી શોથી દૂર હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે