પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયું, રાજીનામું આપ્યું કે લેવાયું તે અંગે અનેક તર્ક-વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-09-12 17:31:33

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ વધુ એકવાર મોટા નેતાનું રાજીનામું લઈ લીધું છે. ભાર્ગવ ભટ્ટ, પ્રદીપસિંહ વાઘેલા બાદ મહેસાણાના પંકજ ચૌધરી નામના કાર્યકરનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. ગુજરાત ભાજપમાં વધુ એક મોટા નેતાના રાજીનામાથી હડકંપ મચી ગયો છે. પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.  પંકજ ચૌધરીએ કેટલાક મહિના પહેલા હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ હતું. દાવો કરાઇ રહ્યો છે કે ફેમિલી પ્રૉબ્લેમ અને વિદેશ પ્રવાસના કારણે પંકજ ચૌધરીએ રાજીનામું આપી દીધુ છે. જોકે, ભાજપના સૂત્રો પ્રમાણે રાજીનામા પાછળનું કારણ અન્ય હોઇ શકે છે. સાચુ કારણ હજુ સુધી બહાર આવ્યુ નથી, કારણ અકબંધ છે. પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે લેવાયું તે અંગે પણ અનેક ચર્ચાઓ અને સવાલો ઉઠ્યા છે. 


જમાવટને મળ્યો નનામો પત્ર


પંકજ ચૌધરી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને યુવા ભાજપના પ્રભારી તરીકે કામગીરી કરી ચૂકેલા છે. પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું લેવા પાછળનું કારણ તો સૌને ખબર છે પણ પંકજ ચૌધરીનું રાજીનામું શા માટે લેવાયું એ કોઈને ખબર નથી. રાજકીય લોકો પણ પોતાની રીતે મંથન કરી રહ્યા છે. આ બધી જ ઘટનાની વચ્ચે જમાવટ પર અમને થોડા દિવસે પહેલા મળેલા એક નનામા પત્રમાં પંકજ ચૌધરીનું રાજીનામું શા માટે લેવામાં આવ્યું છે એ ઘટના વિગતવાર દર્શાવી છે.  જમાવટને મળેલા આ નનામાં પત્રમાં તત્કાલિન ભાજપ ખેડા જિલ્લા પ્રભારી અને પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીની વ્યભિચાર અને કબૂતરબાજી બાબતની ફરીયાદ મળ્યા બાદ પાર્ટીએ તેમની સામે કાર્યવાહી કરી છે. ભાજપના ખેડાના જિલ્લા પ્રભારી અને પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીની વ્યભિચાર અને કબૂતરબાજીમાં નામ આવ્યા બાદ મનું રાજીનામું તા. 22/ 7/ 23ના રોજ  લઈ લેવામાં આવ્યું હતું. રાજીનામા પછી ફોટો અને વીડિયો મૂકવાની પણ ના પાડી દેવામાં આવી હતી. આ બધી બાબતો બહુ ઈરાદાપૂર્વક મીડિયાથી દૂર રાખવામાં આવી હતી.


શા માટે રાજીનામું?


ભાજપના ખેડાના જિલ્લા પ્રભારી અને પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. ખુદ પંકજ ચૌધરીએ તેમના રાજીનામા અંગે મૌન સેવ્યું છે પણ ભાજપના આંતરિક રાજકારણથી વાકેફ લોકો આ રાજીનામા પાછળ ભેદી કારણ બતાવી રહ્યા છે. જમાવટને મળેલા નનામા પત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે પંકજ ચૌધરીના એકથી વધુ મહિલાઓ સાથે અનૈતિક સંબંધો હતા. ભાજપનું સંગઠન પણ આ બાબતથી વાકેફ હતું જો કે જ્યારે પાણી માથા પરથી વહેવા લાગ્યું ત્યારે  તેમણે પંકજ ચૌધરીને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. આ નનામા પત્રમાં પંકજ ચૌધરીના વ્યભિ ચારી જીવનશૈલી અંગે પણ જાણકારી આપવામાં આવી છે.  


સ્ત્રીની સુરક્ષાની જવાબદારી સરકારની હોય અને સરકારોને પેદા કરે છે રાજકીય પક્ષ. આ જ પાર્ટી સરકાર બનાવે છે. એટલે પક્ષના સંગઠનના લોકો ખૂબ જ જવાબદાર હોવા જોઈએ. ભાજપે આવા નેતાઓના પદ છીનવી લીધા એ ખૂબ સરસ વાત છે પણ હજુ પણ એવી કેટલીય સ્ત્રી હશે જે પોતાનો અવાજ સરખી રીતે નહીં ઉઠાવી શકતી હોય. આ કેસમાં તો તેમના સગા ભાઈ દ્વારા જ આખુ પ્રકરણ ઉજાગર કરવામાં આવ્યું છે. આ રીતે સ્ત્રીનું શોષણ જો પાર્ટીઓમાં જ થશે તો બીજા તો શું કરશે. બીજો પક્ષ આ કેસમાં એ પણ છે કે એક પક્ષ જ જવાબદાર નથી. એ સ્ત્રીઓ પણ જવાબદાર છે જે રાજકારણમાં સફળતાના શોર્ટકટ માટે અમુક રસ્તા પર ચાલવા લાગે છે. પણ હંમેશા એ સિદ્ધ થયું છે કે એ ટૂંકો રસ્તો તેમને ક્યાંય નથી લઈ જતો છતા પણ એ સ્ત્રી માને છે કે તેનાથી સફળ થઈ જવાશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!