ટાયર સળગાવી પાંજરાપોળ અને ગૌ-શાળા સંચાલકોએ કર્યું વિરોધ પ્રદર્શન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 15:09:55

બનાસકાંઠામાં પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. 500 કરોડની સહાય ન મળવાને કારણે તેઓ રોષે ભરાયા છે. જેણે કારણે સવારે તે લોકોએ ગાયને રસ્તા પર છોડી દીધી હતી. આ પ્રકારના વિરોધ બાદ પણ સરકાર દ્વારા કોઈ પગલા ન લેવાતા ટાયર સળગાવી રસ્તો બ્લોક કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

ગૌશાળા સંચાલકોની કરાઈ અટકાયત 

સવારે વિરોધ બતાવવા ગાયોને છોડી દેવામાં આવી હતી. સવારે અડધો કલાક સુધી રસ્તો બંધ રહેતા દસ કિલોમીટર લાંબી વાહનોની લાઈન થઈ ગઈ હતી. ડીસા પાંજરાપોળના પશુઓ છોડી મુકાતા, ગાયને સરકારી કચેરી પહેલા અટકાવવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અનેક ગૌશાળા સંચાલકોની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અટકાયત થયા બાદ પણ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું. 



ટાયર સળગાવી રસ્તો કર્યો બ્લોક

અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ ઉકેલ ન આવતા અંતે તેઓ આંદોલનના માર્ગે ચાલવા મજબૂર બન્યા છે. પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો ખૂબ ગુસ્સે ભરાયા છે. ગૌભક્તોએ ડીસાના એલિવેટેડ બ્રીજ પર ટાયર સળગાવી રસ્તો બંધ કરી દીધો હતો.   




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.