હરિયાણાના પાણીપતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી આગ, ઘટનાને પગલે વ્યાપો ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-01-12 11:39:56

આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો આગ લાગવાને કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે ગેસ સિલિન્ડરને કારણે આગ લાગવાની ઘટના હરિયાણાના પાણીપતમાં બની છે. આ ઘટનાને કારણે એક જ પરિવારના 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનાને પગલે તે વિસ્તારમાં શોક વ્યાપી ઉઠ્યો છે.

jagran

આગ લાગવાથી અનેક લોકોના થતા હોય છે મોત 

આજકાલ અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આગ લાગવાના અલગ-અલગ કારણો હોય છે. જેમકે શોર્ટસર્કિટને કારણે આગ લાગે, કોઈ વખત ગેસ લિકેજ થવાને કારણે તો કોઈ વખત અન્ય કારણોસર આગ લાગતી હોય છે. જેને કારણે લોકો કાળનો કોળિયો બનતા હોય છે. 

jagran

એક જ પરિવારના 6 સભ્યોના થયા મોત

આવી જ ઘટના હરિયાણાના પાણીપતમાં ગુરૂવાર સવારે બની છે. ગેસ સિલિન્ડર લીક થવાને કારણે ઘરમાં આગ ફાટી નિકળી હતી. આ ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના બિચપડી ગામમાં બની છે. મરનારમાં પતિ-પત્ની, તેમની બે દિકરી અને બે દિકરાનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.