ગોંડલ એસટી બસ સ્ટેન્ડમાં બેકાબુ બનેલી એસટી બસને કારણે સર્જાઈ અફરા-તફરી! બેરિકેડ્સ તોડી પૂછપરછ બારીમાં બસ ઘૂસી જતા સર્જાઈ દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2023-05-17 17:07:06

એસ.ટી વિભાગનું સ્લોગન છે સલામત સવારી એસટી અમારી... પરંતુ અનેક વખત એસટી બસના એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે તેમના જ સ્લોગનને ખોટા સાબિત કરતા હોય છે. થોડા સમય પહેલા પણ એસટી બસનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરી એક વખત એસટી બસ ચર્ચામાં આવી છે. ગોંડલ એસટીના બસ સ્ટેન્ડ પરથી ઘટના સામે આવી છે જેમાં બસ સ્ટેન્ડ પર ઉભી રહેવાની જગ્યાએ બેરિકેડ્સ તોડી સીધી પૂછપરછની બારી આગળ ઘૂસી ગઈ. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. 

ડ્રાઈવરની બેદરકારીને કારણે બની ઘટના.


બેરિકેટ તોડી બસ સીધી પહોંચી ગઈ પૂછપરછ બારી પર!

વેકેશનનો સમય હોવાથી એસટીમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. વેકેશનને કારણે એસટી વિભાગ કરોડોની કમાણી કરે છે. બસ સ્ટેન્ડ પર ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે ગોંડલ એસટી બસ સ્ટેન્ડથી એક ઘટના સામે આવી છે. બસની રાહ જોતા મુસાફરો ઉભા છે. બસને લઈ અનાઉસ્મેન્ટ કરવામાં આવે છે કે ઉપલેટાથી રાજકોટ જતી બસ પ્લેટફોર્મ નંબર આઠ પર આવશે. સૂચના પૂર્ણ થતાં જ બસ આવી પરંતુ પ્લેટફોર્મ પર નહીં પરંતુ બેરીકેટ તોડી પૂછપરછ બારી પાસે આવી ગઈ. જેને લઈ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બસ સ્ટેશનમાં ઘૂસતા જ બસે એક મોટો વળાંક લીધો પરંતુ પોતાના નિર્ધારિત જગ્યાએ બસ ઉભી રહેવાની જગ્યાએ ન ઉભી રહી પરંતુ બસ બેરિકેટ તોડી પૂછપરછ બારીમાં જ ઘૂસાડી દીધી હતી. બ્રેક ન લાગતા આ ઘટના સર્જાઈ હતી. 


એક વ્યક્તિને પહોંચી ઈજા!

આ અંગે મળતી માહિતી અનુસાર ગોંડલ શહેરમાં બસ સ્ટેન્ડમાં ઉપલેટા -રાજકોટ રૂટની બસ પ્લેટફોર્મ નંબર 8 પર ઉભી રહેવાની હતી. પરંતુ બ્રેક લાગી ન હતી. જેને કારણે બસ પૂછપરછ બારી આગળ દોડી ગઈ હતી. બસને આવતા જોઈ અફરા તફરી સર્જાઈ હતી અને ભાગદોડ મચી હતી. આ નાસભાગમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ એસટી ડેપો મેનેજરે તપાસ હાથ ધરી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 


થોડા સમય પહેલા પણ એસટી બસ આવી હતી ચર્ચામાં!

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ડ્રાઈવરને બમ્પ ન દેખાતા બસ ઉછળી હતી. પાછળનો કાચ તૂટી પડ્યો હતો અને પાછળ બેઠેલા માણસો નીચે પડી ગયા હતા. ત્યારે આજે ફરી એસટી બસ ચર્ચામાં આવી છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.