Panchmahal : Wasmoનાં ભ્રષ્ટાચારી એન્જિનિયર સામે કાર્યવાહી! આ લોકોએ યોજના પર પાણી ફેરવ્યું! જુઓ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2024-01-25 16:40:00

ઘર ઘર સુધી પાણી નળના માધ્યમથી પહોંચે તે માટે સરકારે નલ સે જલ યોજનાની શરૂઆત કરી હતી. અનેક લોકોને આ યોજનાથી ફાયદો પણ થયો પરંતુ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને નળ મળ્યો, પાણી માટેનું કનેક્શન મળ્યું. નળ અપાયા, નળનું કનેક્શન અપાયું બસ પાણી જ ન અપાયું.. લગભગ આઠ મહિના પહેલા અમે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવ્યો હતો જેમાં Panchmahalના Shaheraના અંતરિયાળ ગામમાં નલ સે જલ યોજનાની તો પથારી ફેરવી નાખી હતી અધિકારીઓએ.

કૌભાંડી અધિકારી વિરૂદ્ધ કરવામાં આવી કાર્યવાહી! 

ગઈકાલે સમાચાર આવ્યા કે વાસ્મો યોજનામાં કૌભાંડી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  હાલોલના નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર સસ્પેન્ડ કરાયા છે સાથે જ નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક વર્મા અને મદદનીશ ઇજનેર દેવાંશી ભટ્ટને સસ્પેન્ડ કરાયા છે. આ લોકોને સસ્પેન્ડ કરવાનું એક જ કારણ હતું કે આ લોકોએ બારોબાર કામ કર્યા વગર જ નોંધી દીધું કે અહીંયા બધે કામ થઈ ગયું છે. સ્થળ પર કામગીરી કર્યા વગર બિલ ચૂકવી દીધા પણ આ માત્ર પંચમહાલ કે એની આસપાસની તકલીફ નથી. આવો ભ્રષ્ટાચાર તો અનેક જગ્યાઓ પર થયો હશે. 


મહીસાગરમાં 111 જેટલા કોન્ટ્રાક્ટરો ટેન્ડર નહીં ભરી શકે! 

મહીસાગરથી પણ આવા જ કંઈક સમાચાર સામે આવ્યા છે. વાસ્મોની નલ સે જલ અંતર્ગત ૧૧૧ જેટલાં કોન્ટ્રાક્ટરો હવે ટેન્ડર નહીં ભરી શકે તેવી માહિતી સામે આવી છે. વિઝીલેન્સ ટીમ દ્વારા મહીસાગર જિલ્લામાં વાસ્મોની નલ સે જલ યોજનાં અંતર્ગત ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી જે મુજબ પગલા લેવામાં આવ્યા છે. મહીસાગરમાં  ૧૧૧ જેટલી એજન્સીઓને કામ ન આપવાં તેમજ પૈસા ન ચૂકવવા બદલ ગાંધીનગરથી મહીસાગર વાસમો અધિકારીને લેખિત જાણ કરવામાં આવી છે. વાસ્મોની નલ સે જલ અંતર્ગત ૧૧૧ જેટલાં કોન્ટ્રાક્ટરો હવે ટેન્ડર નહીં ભરી શકે. ખોટા બિલિંગ મુકતા હોવાનો ખુલાસો થતાં ટેન્ડર ન ભરવા માટે સૂચના આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.  


પંચમહાલના અધિકારીએ તો 12 લાખથી વધારે રકમની કરી દીધી ચૂકવણી   

આ માત્ર પંચમહાલની કે મહીસાગરની સમસ્યા થોડી છે? ભ્રષ્ટાચાર માત્ર અહીંયા જ થયો છે એવું થોડી છે? આવી સમસ્યા તો અનેક જગ્યાઓની છે. ગામે ગામે બધે આવું જ થયું છે. પંચમહાલના આ અધિકારીઓએ તો 12 લાખ 76 હજારના ખોટા બિલોનું ચૂકવણું કરી દીધું હતું. અદેપુર પાણી પુરવઠા યોજનાની કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યો આજે એમના પર કાર્યવાહી થઈ પણ વર્ષોથી આ બધા આવું જ કરતાં આવ્યા છે. આ ખાલી સામાન્ય કાર્યવાહી અંબાજીથી ઉમરગામ તપાસ કરે સરકાર.


દૂર દૂરથી મહિલાઓ પાણી ભરવા બની છે મજબૂર 

આ માત્ર નલ સે જલ યોજનાની વાત નથી પરંતુ બધી જગ્યાઓએ આવા ભ્રષ્ટાચારીઓ ભરેલા પડેલા છે. નલ સે જલ હોય કે શોચાલયની યોજના હોય બધામાં ગરીબોના હકના પૈસા આ લોકો ખાઈ ગયા છે. ને એમને જ નેતાઓના સપના અને યોજના પર પાણી ફેરવી દીધું છે. પંચમહાલની આ સ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં પણ કંઈક એવુજ છે. જ્યારે પણ કવરેજ કરવા જમાવટની ટીમ અંતરિયાળ વિસ્તારમાં જાય છે ત્યારે ત્યારે આવા દ્રશ્યો સામે આવ્યા છે. ઘરમાં નળ છે પણ પાણી નથી. મહિલાઓ દૂર દૂરથી પાણી ભરીને આવે છે અને આવા ભ્રષ્ટાચારીઓનું પેટનું પાણી નથી હલતું. આ માત્ર સામાન્ય કાર્યવાહી છે હજુ મોટા માથા આમાં પકડાઈ શકાય છે. તમે જાતે જ નક્કી કરો કે અહિયાં આ હાલત છે તો બીજા ગામોમાં શું હાલત હશે? 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!