હરિયાણાના સોનીપતમાં યોજાઈ પંચાયત, પંચાયતમાં ભાગ લેવા પહોંચ્યા સાક્ષી મલિક અને બજરંગ પુનિયા! સાંભળો શું કહ્યું બજરંગ પુનિયાએ?


  • Published By :
  • Published Date : 2023-06-10 14:31:33

બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનો ઘણા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. ઘણા લાંબા સમયથી જંતર મંતર ખાતે પહેલવાનોએ ધરણા કર્યા હતા. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ધરણા સ્થળ પરથી ધરણા ખતમ કરી દીધા પરંતુ કુસ્તીબાજોએ વિરોધ યથાવત રાખ્યો છે. આ બધા વચ્ચે હરિયાણાના સોનીપતમાં કુસ્તીબાજોની પંચાયત યોજાઈ છે. આ પંચાયતમાં સાક્ષી મલિક તેમજ બજરંગ પુનિયા પહોંચ્યા હતા. પંચાયતમાં પહોંચ્યા બાદ બજરંગ પુનિયાએ કહ્યું કે અમે અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે જે વાતચીત કરી હતી, અમે તે બાબતે પંચાયતને જણાવવા આવ્યા છીએ, કારણ કે અમે બધું પંચાયતને સોંપી દીધું છે.        

खाप पंचायत में हिस्सा लेने के लिए पहुंचे बजरंग पूनिया और साक्षी मलिक।

સોનીપતમાં યોજાઈ કુસ્તીબાજોની પંચાયત!

સોનીપતના છોટુરામ ધર્મશાળામાં કુસ્તીબાજોએ પંચાયતનું આયોજન કર્યું છે. આ પંચાયતમાં ભાગ લેવા સાક્ષી મલિક તેમજ બજરંગ પુનિયા પહોંચ્યા હતા. ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનો વિરોધ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના વિરૂદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. થોડા સમય પહેલા અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે બેઠક કરી હતી. ત્યારે આજે હરિયાણાના સોનીપતમાં કુસ્તીબાજોની પંચાયત યોજાઈ છે.

અમે બધું પંચાયત પર છોડી દીધું છે - બજરંગ પુનિયા  

પંચાયતમાં હાજર રહેલા બજરંગ પુનિયાએ નિવેદન આપતા કહ્યું- અમે અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે જે વાતચીત કરી હતી, અમે તે બાબતે પંચાયતને જણાવવા આવ્યા છીએ, કારણ કે અમે બધું પંચાયતને સોંપી દીધું છે. વડીલો જે નિર્ણય લેશે તે કુસ્તીબાજો સ્વીકારશે. મહત્વનું છે કે નાબાલિક દીકરીના પિતાએ નિવેદન આપ્યું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ બદલો લેવા તેમણે કેસ કર્યો હતો. ત્યારે જોવું રહ્યું કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.