વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં PM Modiએ લીધો ભાગ, મંદિરમાં કરી પૂજા અર્ચના, કહ્યું ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો...


  • Published By :
  • Published Date : 2024-02-22 16:10:27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. વાળીનાથ ધામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પીએમ મોદીએ હાજરી આપી હતી ભગવાન શિવની પૂજા કર્યા બાદ જનસભાને પીએમ મોદીએ સંબોધી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદ કર્યો હતો. પીએમએ કહ્યું કે રબારી સમાજ માટે વાળીનાથએ પૂજ્ય ગુરૂગાદી છે. આજના દિવસે એક સંયોગ થયો છે. આજથી ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો. રબારી સમાજ માટે આ ગુરુગાદી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું..   

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું આજે હું આ પવિત્ર ધરતી પર એક દૈવી ઊર્જા અનુભવું છું. આ ઉર્જા આપણને હજારો વર્ષોથી ચાલતી આધ્યાત્મિક ચેતના સાથે જોડે છે, જે ભગવાન કૃષ્ણ અને મહાદેવ સાથે પણ સંબંધિત છે. ભારતની વિકાસયાત્રામાં આ એક અદ્ભુત સમયગાળો છે. વધુમાં તેમણે કહ્યું કે આજથી બરાબર એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ હું અયોધ્યામાં ભગવાન રામના ચરણોમાં હતો. ત્યાં મને ભગવાન રામલલાની મૂર્તિના અભિષેકની ઐતિહાસિક ઘટનામાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું.


પીએમ મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ​​​​​​​છેલ્લા બે દશકોમાં વિકાસની સાથે સાથે વિરાસતની ભવ્યતા માટેનું કામ થયું છે. કમનસીબે ભારતમાં વિરાસતના ક્ષેત્રે વિકાસ અટકી પડ્યો હતો. આ કોંગ્રેસે ધર્મસ્થાનો ઉપર પ્રશ્ન કર્યા હતા. કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિધ્ન પેદા કર્યું છે. જ્યારે અયોધ્યામાં અત્યારે મંદિર બનીને તૈયાર થઈ ગયું છે તે તેમણે નકારાત્મક વલણ દાખવ્યું. આ લોકોએ ભગવાન રામના અસ્તિત્વ સામે સવાલો ઉઠાવ્યાં.

    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.