મોરબી ઈફેકટ: સરકાર મોડે-મોડે જાગી, પાલ્લા-વૌંઠાના મેળામાં ચગડોળો બંધ રાખવાનો હુકમ


  • Published By :
  • Published Date : 2022-11-07 20:14:20

મોરબીની બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સતર્ક બની છે. સરકારના માથે ચૂંટણી હોવાથી હાલ કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવા તૈયાર નથી. જો કે આ મોરબી કરૂણાંતિકાની અસર સુપ્રસિદ્ધ પાલ્લા વૌંઠાના લોકમેળામાં પણ જોવા મળી છે. સ્થાનિક વહીવટી તંત્રએ મેળામાં કોઈ પણ પ્રકારની હોનારત ન સર્જાય તે માટે મેળાની ઓળખસમાં ચગડોળો બંધ રાખવાનો આદેશ કર્યો છે.


મેળામાં ચગડોળો બંધ હોવાથી લોકો નિરાશ 


ગુજરાતમાં તરણેતરના મેળા બાદ પાલ્લા વૌંઠાનો આ મેળો રાજ્યનો બીજો સૌથી મોટો મેળો છે. સાત નદીના સંગમ તીર્થ સ્થાને વૌઠા – પાલ્લાનો મેળો ભરાય છે. પાલ્લા – વૌઠાના ભાતીગળ લોકમેળા આ મેળો માણવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિત રાજયભરમાંથી લાખો લોકો ઉમટી પડે છે. જો કે આ વખતે ચગડોળો બંધ હોવાથી લોકો નિરાશ છે. 


પશુઓના વેપાર માટે સુવિખ્યાત છે આ મેળો


વૌઠા –પાલ્લામાં ભરતાં મેળાની વિશેષતા એ છે કે, આ મેળામાં પશુધનનો વેપાર થાય છે. જેમાં ખાસ કરીને ઊંટ, ગર્દભ, ઘોડાનો વેપાર  થાય છે. ગધેડાનો વેપાર કરવા માટે રાજયભરમાંથી વેપારીઓ આવે છે. ગત વર્ષના અંદાજ મુજબ 20 હજાર ઉપરાંત ગધેડાનો વેપાર થાય છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.