રાહુલ ગાંધીની હાજરીમાં લાગ્યા પાકિસ્તાન જીંદાબાદના નારા, કોંગ્રેસે વીડિયોને Fake ગણાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-25 18:04:11

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા સાથે વિવાદ જોડાઈ ગયો છે. મધ્યપ્રદેશ ભાજપના મીડિયા પ્રભારીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા. આ વીડિયો વાયરલ થતા ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરી પોતાની પ્રક્રિયા આપી છે. જ્યારે કોંગ્રેસે આ ટ્વિટરને ખોટો ગણાવ્યો છે.

પાકિસ્તાન જીંદાબાદના લાગ્યા નારા 

ભારત જોડો યાત્રા પર અનેક વખત ભાજપ દ્વારા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીની આ યાત્રા પર રાજનીતિ ગરમાઈ છે. ભાજપના એક નેતા દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો જેમાં એવું બતાવવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રામાં ખુલ્લેઆમ પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા. તેમના કહેવા પ્રમાણે કોંગ્રેસે પોતાના ઓફિશીયલ ટ્વિટર અકાઉન્ટ પરથી આ વીડિયો ડિલીટ કરી દીધો છે.

 

શિવરાજસિંહ ચૌહાણે આપી પોતાની પ્રતિક્રિયા 

આ વાતને લઈ શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા છે, આ ભારત જોડવાની યાત્રા છે કે ભારતને તોડવા વાળાઓને જોડે લાવવાની યાત્રા છે. પાકિસ્તાન જીંદાબાદનો નારો લગાવવા વાળાને કોઈ પણ કિંમત પર છોડવામાં આવશે નહીં.

કોંગ્રેસે ભાજપ પર લગાવ્યા આરોપ

કોંગ્રેસે આ વીડિયોને લઈ ટ્વિટ કરી છે કે ભારત જોડો યાત્રાને મળી રહેલા જનસમર્થનને લઈ ભાજપ ડરી ગઈ છે. ભાજપે યાત્રાને બદનામ કરવા આ ફરજી વીડિયો ચલાવ્યો છે. આને લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમે ભાજપ દ્વારા કરવામાં આવતા આવા દાવપેચ માટે અમે તૈયાર છીએ. એમને જવાબ આપવામાં આવશે.  


ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે