પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ત્રીજી વખત કોરોનની ઝપેટમાં આવ્યા


  • Published By :
  • Published Date : 2022-11-15 15:24:44

શાહબાઝ શરીફ કોરોના સંક્રમિત થયા 
અગાવ બે વખત કોરોનની ઝપેટમાં આવી ચુક્યા છે "શરીફ"
આ વાતની પુષ્ટિ પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે ટ્વિટર દ્વારા કરી હતી

Pakistan's Opposition leader Shahbaz Sharif arrested in money laundering  case | Deccan Herald

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આ વાતની પુષ્ટિ પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે ટ્વિટર દ્વારા કરી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન છેલ્લા બે દિવસથી અસ્વસ્થ અનુભવી રહ્યા હતા. ડોક્ટરોની સલાહ પર તેમની કોરોનાની તપાસ કરવામાં આવી, ત્યારબાદ તેમનામાં સંક્રમણની પુષ્ટિ થઈ. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ વડા પ્રધાનના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે.


તમને જણાવી દઈએ કે, આ ત્રીજી વખત છે જ્યારે શાહબાઝ શરીફ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ પહેલા આ વર્ષે જાન્યુઆરી અને જૂન 2020માં પણ તેને કોરોના સંક્રમિત થયો હતો.


એક દિવસ પહેલા વિદેશ પ્રવાસેથી પરત ફર્યા હતા

તમને જણાવી દઈએ કે, શાહબાઝ શરીફ એક દિવસ પહેલા જ લંડનની મુલાકાત લઈને પાકિસ્તાન પરત ફર્યા હતા. શરીફ પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, PM શહેબાઝને શનિવારે એરપોર્ટ જતા પહેલા તાવ આવ્યો હતો, જેના પગલે તેમણે રવિવારની મુલાકાત મુલતવી રાખી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.