પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ધરપકડ, ઈમરાન ખાનના નજીકના મનાય છે


  • Published By :
  • Published Date : 2023-02-02 11:42:43

બુધવાર રાત્રે પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી ઈમરાન ખાનની હત્યાની સાજિઝ કરી રહ્યા છે. જેને કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે તે જાણકારી મીડિયા રિપોર્ટસ દ્વારા આપવામાં આવી રહી છે. ઈસ્લામાબાદમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી હતી. શેખ રશીદની સાથે તેમના ભત્રીજાની પણ ધરપકડ કરવામાં આવી છે. શેખ રશીદનો દાવો છે કે રાવલપિંડીમાં તેમના ઘરેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. 


પોલીસે કરી શેખ રશીદની ધરપકડ  

ઈમરાનની સરકારમાં પાકિસ્તાનના ગૃહમંત્રીનું પદ સંભાળનાર શેખ રશીદની ધરપકડ ગુરૂવારે કરવામાં આવી છે. શેખ રશીદ અવામી મુસ્લિમ લીગના વડા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા રાજા ઈનાયત ઉર રહેમાન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમાં તેમણે કહ્યું કે શેખ રશીદે તેમના પર આરોપ લગાવ્યો છે કે પુર્વ રાષ્ટ્રપતિ અને પીપીપીના અધ્યક્ષ આસિફ અલી જરદારી ઈમરાન ખાનની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. ધરપકડ બાદ રશીદે કહ્યું કે પોલીસે વોરેન્ટ વગર ધરપકડ કરી છે. લગભગ 200 જેટલા પોલીસવાળા ઘરની બારીઓ તેમજ દરવાજા તોડતા હતા. નોકરો સાથે પણ ગેરવર્તન કર્યું હતું. ધરપકડ પાછળ તેમણે શાહબાજ શરીફની સરકારનો હાથ બતાવ્યો.      


પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીએ આપી પ્રતિક્રિયા 

આ બાબત પર ઈમરાન ખાનની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. પૂર્વ વડાપ્રધાને રસ્તા પર ઉતરવાની ચીમકી આપી છે. ટ્વિટ પર લખ્યું કે તેઓ શેખ રશીદની ધરપકડનો વિરોધ કરે છે. ઈતિહાસમાં ક્યારેય આવી પક્ષપાતી રખેવાળ સરકાર નથી બની.  


આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.