પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ધરપકડ, ઈમરાન ખાનના નજીકના મનાય છે


  • Published By :
  • Published Date : 2023-02-02 11:42:43

બુધવાર રાત્રે પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી ઈમરાન ખાનની હત્યાની સાજિઝ કરી રહ્યા છે. જેને કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે તે જાણકારી મીડિયા રિપોર્ટસ દ્વારા આપવામાં આવી રહી છે. ઈસ્લામાબાદમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી હતી. શેખ રશીદની સાથે તેમના ભત્રીજાની પણ ધરપકડ કરવામાં આવી છે. શેખ રશીદનો દાવો છે કે રાવલપિંડીમાં તેમના ઘરેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. 


પોલીસે કરી શેખ રશીદની ધરપકડ  

ઈમરાનની સરકારમાં પાકિસ્તાનના ગૃહમંત્રીનું પદ સંભાળનાર શેખ રશીદની ધરપકડ ગુરૂવારે કરવામાં આવી છે. શેખ રશીદ અવામી મુસ્લિમ લીગના વડા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા રાજા ઈનાયત ઉર રહેમાન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમાં તેમણે કહ્યું કે શેખ રશીદે તેમના પર આરોપ લગાવ્યો છે કે પુર્વ રાષ્ટ્રપતિ અને પીપીપીના અધ્યક્ષ આસિફ અલી જરદારી ઈમરાન ખાનની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. ધરપકડ બાદ રશીદે કહ્યું કે પોલીસે વોરેન્ટ વગર ધરપકડ કરી છે. લગભગ 200 જેટલા પોલીસવાળા ઘરની બારીઓ તેમજ દરવાજા તોડતા હતા. નોકરો સાથે પણ ગેરવર્તન કર્યું હતું. ધરપકડ પાછળ તેમણે શાહબાજ શરીફની સરકારનો હાથ બતાવ્યો.      


પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીએ આપી પ્રતિક્રિયા 

આ બાબત પર ઈમરાન ખાનની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. પૂર્વ વડાપ્રધાને રસ્તા પર ઉતરવાની ચીમકી આપી છે. ટ્વિટ પર લખ્યું કે તેઓ શેખ રશીદની ધરપકડનો વિરોધ કરે છે. ઈતિહાસમાં ક્યારેય આવી પક્ષપાતી રખેવાળ સરકાર નથી બની.  


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે