પાકિસ્તાનના PMએ ફરી કાશ્મીર રાગ આલાપ્યો, કાશ્મીરની આઝાદીનું કર્યું સમર્થન


  • Published By :
  • Published Date : 2023-02-06 18:30:02

આર્થિક નાદારીની સ્થિતીએ આવી ગયેલું પાકિસ્તાન હજુ પણ કાશ્મિરનો રાગ આલાપી રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ફરી કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે. રવિવારે કાશ્મીર સોલિડેરટી ડે મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે જોરદાર ભાષણ કર્યું હતું.


શરીફે જિન્નાહને યાદ કર્યા


શહબાઝ શરીફે કહ્યું કે કાશ્મિરના મુદ્દે તમામ પક્ષોએ મતભેદો ભૂલાવીને એકસાથે આવવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાહે પણ કાશ્મિરને પાકિસ્તાનની દુ:ખતી રગ કહી હતી. તેમણે અફસોસ સાથે કહ્યું કે સમાજ આ મુદ્દે પણ વહેંચાયેલો છે અને આ મુદ્દે પણ એક થતો નથી.


કાશ્મીરની આઝાદી માટે સમર્થન


પાકિસ્તાનના પીએમએ કાશ્મીરને ખુલ્લી જેલ ગણાવી હતી, તેમણે કહ્યું કે પાકિસ્તાન હંમેશા કાશ્મીરની આઝાદીનું સમર્થન કરતું રહેશે અને તેને નૈતિક અને રાજનૈતિક સમર્થન આપતું રહેશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.