પાકિસ્તાનમાં ભયાનક ટ્રેન દુર્ઘટના, ટ્રેન પાટા પરથી ઉતરી, 22 લોકોના મોત, 80થી વધુ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-06 17:08:57

પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે, પાકિસ્તાની મીડિયા અનુસાર રાવલપિંડીથી ઉપડતી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટના પગલે અત્યાર સુધીમાં 22 લોકો મોત થયા છે, જ્યારે લગભગ 80થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભયાનક દુર્ઘટના સહારા રેલવે સ્ટેશન નજીક સર્જાઈ હતી. આ સ્ટેશન શહજાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલું છે.


હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર


આ ભયાનક ટ્રેન અકસ્માતથી ઘાયલ થયેલા લોકોને નવાબશાહની મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ જાણી શકાયું નથી. વધુ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવા માટે શહેરની હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે.


પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માતમાં વધારો


અકસ્માતનો ભોગ બનેલી હજારા એક્સપ્રેસમાં એ જ એન્જીન ફીટ કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે માર્ચમાં હવેલીયાંથી કરાચી જતી ટ્રેનમાં ફીટ કરવામાં આવ્યું હતું. રેલ્વે અધિકારીઓની બેદરકારીના કારણે આ ટ્રેન પણ ભયાનક અકસ્માતનો ભોગ બનવાથી બચી ગઈ હતી. ભૂતકાળમાં કરાચીથી સિયાલકોટ જઈ રહેલી અલ્લામા ઈકબાલ એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માતો સામાન્ય બની રહ્યા છે. છેલ્લા એક દાયકામાં પાકિસ્તાનમાં ઘણી મોટી રેલ દુર્ઘટનાઓ થઈ છે અને છેલ્લા વર્ષોમાં તેમાં વધારો થયો છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!