ઈમરાન ખાનની ચેતવણી 'પાકિસ્તાન નાદાર થશે, રેકોર્ડતોડ મોંઘવારી વધશે'


  • Published By :
  • Published Date : 2023-01-02 15:52:56

પાકિસ્તાન આર્થિક નાદારીની દિશામાં છે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તેમના જ દેશને લઈને ગંભીર ચેતવણી આપી છે.  ઈમરાન ખાને કહ્યું છે કે જો પાકિસ્તાનને આઈએમએફ તરફથી  લોન નહીં મળે તો દેશ ડિફોલ્ટ થઈ જશે. ઈમરાનની આ ચેતવણીને પૂર્વ વિશેષ સલાહકાર ડોક્ટર સાનિયા નિશ્તરનું પણ સમર્થન મળ્યું છે.


લાખો લોકોએ દેશ છોડ્યો 


ઈમરાન ખાને દેશના પીએમ શાહબાઝ શરીફની સરકારને નિશાન બનાવતા કહ્યું કે સરકારની ખોટી નિતીઓના કારણે  7.5 લાખ લોકો દેશ છોડીને પલાયન થઈ ગયા છે. દેશમાં વ્યાપાર- ઉદ્યોગ ઠપ થઈ ગયા છે. મોંઘવારી આસમાને પહોંચી છે. તેમણે દેશવાસીઓને  દેશ ન છોડવાની પણ અપીલ કરી હતી. 


દેશની આર્થિક સ્થિતી મુદ્દે બેઠક


પાકિસ્તાનની છેલ્લી આશા આઈએમએફ તરફથી મળનારૂ બેલઆઉટ પેકેજ છે. પાકિસ્તાનો વિદેશી નાણા ભંડાર સતત ઘટી રહ્યો છે. મોંઘવારી એટલી વઘી છે કે સામાન્ચ માણસ માટે જીવવું મુ્શ્કેલ બન્યું છે. ગત શુક્રવારે નેશનલ સિક્યુરીટીની બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારના સિનિયર મંત્રીઓ અને ટોપ મિલિટરી ઓફિસર્સને આર્થિક મોરચે વધી રહેલી મુશ્કેલીઓ અંગે જણાવવામાં આવ્યું હતું. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે નાણા મંત્રાલયને મોંઘવારી અને વિદેશી મુદ્દા દરને ઓછા રાખવા સામે ઝઝુમવું પડી રહ્યું છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે