ઈમરાન ખાનની ચેતવણી 'પાકિસ્તાન નાદાર થશે, રેકોર્ડતોડ મોંઘવારી વધશે'


  • Published By :
  • Published Date : 2023-01-02 15:52:56

પાકિસ્તાન આર્થિક નાદારીની દિશામાં છે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તેમના જ દેશને લઈને ગંભીર ચેતવણી આપી છે.  ઈમરાન ખાને કહ્યું છે કે જો પાકિસ્તાનને આઈએમએફ તરફથી  લોન નહીં મળે તો દેશ ડિફોલ્ટ થઈ જશે. ઈમરાનની આ ચેતવણીને પૂર્વ વિશેષ સલાહકાર ડોક્ટર સાનિયા નિશ્તરનું પણ સમર્થન મળ્યું છે.


લાખો લોકોએ દેશ છોડ્યો 


ઈમરાન ખાને દેશના પીએમ શાહબાઝ શરીફની સરકારને નિશાન બનાવતા કહ્યું કે સરકારની ખોટી નિતીઓના કારણે  7.5 લાખ લોકો દેશ છોડીને પલાયન થઈ ગયા છે. દેશમાં વ્યાપાર- ઉદ્યોગ ઠપ થઈ ગયા છે. મોંઘવારી આસમાને પહોંચી છે. તેમણે દેશવાસીઓને  દેશ ન છોડવાની પણ અપીલ કરી હતી. 


દેશની આર્થિક સ્થિતી મુદ્દે બેઠક


પાકિસ્તાનની છેલ્લી આશા આઈએમએફ તરફથી મળનારૂ બેલઆઉટ પેકેજ છે. પાકિસ્તાનો વિદેશી નાણા ભંડાર સતત ઘટી રહ્યો છે. મોંઘવારી એટલી વઘી છે કે સામાન્ચ માણસ માટે જીવવું મુ્શ્કેલ બન્યું છે. ગત શુક્રવારે નેશનલ સિક્યુરીટીની બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારના સિનિયર મંત્રીઓ અને ટોપ મિલિટરી ઓફિસર્સને આર્થિક મોરચે વધી રહેલી મુશ્કેલીઓ અંગે જણાવવામાં આવ્યું હતું. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે નાણા મંત્રાલયને મોંઘવારી અને વિદેશી મુદ્દા દરને ઓછા રાખવા સામે ઝઝુમવું પડી રહ્યું છે.  



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.