પાકિસ્તાન સાથે અમેરિકાનો સંબંધ માલિક અને નોકર જેવો: ઈમરાન ખાન


  • Published By :
  • Published Date : 2022-11-14 16:26:32

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું કે તેઓ હવે તેમને સત્તા પરથી હટાવવા માટે અમેરિકાના વહીવટીતંત્રને “દોષ” આપતા નથી. તેમણે કહ્યું કે અમેરિકા સાથે અમારો સંબંધ માલિક અને નોકર જેવો છે. પાકિસ્તાનનો ઉપયોગ ભાડાની બંદૂક તરીકે થયો છે. ભૂતપૂર્વ વડા પ્રધાન કે જેમણે સતત એક જ વાતનો પ્રચાર કર્યો છે કે તેમને વિદેશી ષડયંત્રના કારણે હટાવવામાં આવ્યા હતા. ઈમરાન હવે કહે છે કે તે વોશિંગ્ટન અને ઈસ્લામાબાદ વચ્ચે "ગૌરવપૂર્ણ" સંબંધ ઈચ્છે છે.


ઈમરાન ખાને અમેરિકા વિશે શું કહ્યું?


ફાઈનાન્સિયલ ટાઈમ્સે રિપોર્ટ મુજબ ઈમરાન ખાન સામે થયેલા કથિત કાવતરામાં અમેરિકાની ભૂમિકા અંગેની તેમની અગાઉની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા હતા. જો કે આજે ઈમરાન ખાને કહ્યું છે કે, "જ્યાં સુધી મારો સવાલ છે, તો તે બધુ હવે સમાપ્ત થઈ ગયું છે, હવે તે મારા માટે ભૂતકાળ બની ગયું છે,"  ઈમરાન આગળ કહે છે, "અમેરિકા સાથે અમારો સંબંધ માલિક અને નોકર જેવો છે. અમારો ઉપયોગ ભાડાની બંદૂકો તરીકે કરવામાં આવ્યો છે, પરંતુ આ માટે હું અમેરિકા કરતાં અમારી સરકારોને વધુ દોષી માનું છું."



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.