Pakistan: નવાઝ શરીફની લાહોરમાં યોજાયેલી રેલીમાં સિંહ અને વાઘે આકર્ષણ જગાવ્યું, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-23 20:20:28

પાકિસ્તાનમાં પાર્લામેન્ટની ચૂંટણી માટેનું પ્રચાર અભિયાન જોર પર છે. આ વખતે સત્તામાં આવવાના મજબુત દાવેદાર નવાઝ શરીફ મનાય છે. નવાઝ શરીફની પાર્ટી PMLN સતત રેલીયો કરી રહી છે. નવાઝ શરીફની સાથે તેમની પુત્રી મરિયમ નવાઝ અને ભાઈ શાહબાઝ શરીફ પણ જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. નવાઝ શરીફે આજે મંગળવારે લાહોરમાં રેલી યોજી હતી, આ રેલીમાં કાંઈક એવું થયું કે દુનિયાભરમાં તેની ચર્ચા થઈ રહી છે.નવાઝ શરીફની આ રેલીમાં સિંહ અને વાઘ પણ લાવવામાં આવ્યા હતા. 

 

સિંહ છે  PMLN પાર્ટીનું ચૂંટણી પ્રતિક


લાહોરમાં આવતી નેશનલ એસમ્બલીની સીટ-130માં મંગળવારે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે ચૂંટણી રેલી યોજી હતી. નવાઝ શરીફ અને મરિયમની આ જાહેર રેલીમાં પિંજરામાં બંધ સિંહે ગજબનું આકર્ષણ જણાવ્યું હતું. એક ગાડીમાં લાવવામાં આવેલા સિંહને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રેલીમાં લાવવામાં આવેલા આ સિંહનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ સિંહ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. રેલીમાં સિંહ લાવવાનું એક કારણ એ છે કે સિંહ નવાઝ શરીફની પાર્ટી PMLN નું ચૂંટણી પ્રતિક સિંહ છે. જેથી પાર્ટીના કાર્યકરો સાચા સિંહ રેલીમાં લઈને આવ્યા હતા.ઉલ્લેખનિય છે કે આ રેલી માટે વાઘ પણ લાવવામાં આવ્યો હતો પણ વાઘને લાવવા દરમિયાન વાઘ ઘાયલ થઈ ગયો હતો તેથી તેને પાછો મોકલી દેવામાં આવ્યો હતો. 



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?